અમરેલી : પ્રગતિશીલ ખેડૂત ટામેટાની ખેતી કરીને અન્ય માટે બન્યા પ્રેરણારૂપ,આધુનિક અને ગાય આધારિત ખેતીથી મેળવી સફળતા

અમરેલી જિલ્લાના કુકાવાવના બરવાળા બાવીસી ગામના પ્રગતિશીલ ખેડૂતે ટામેટાની ખેતીમાં સફળતા મેળવીને અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે.

New Update
  • પ્રગતિશીલ ખેડૂતની ટામેટાની સફળ ખેતી

  • 10 વીઘા જમીનમાં કરે છે ટામેટાની ખેતી

  • 10 વર્ષથી કરી રહ્યા છે ટામેટાની ખેતી

  • ટામેટાની ખેતીએ ખેડૂતને લખપતિની હરોળમાં લાવી દીધા

  • આધુનિક અને ગાય આધારિત કરે છે ખેતી 

અમરેલી જિલ્લાના કુકાવાવના બરવાળા બાવીસી ગામના પ્રગતિશીલ ખેડૂતે ટામેટાની ખેતીમાં સફળતા મેળવીને અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે. ઘરતીપુત્રએ આધુનિક અને ગાય આધારિત ખેતી કરીને છેલ્લા 10 વર્ષથી ટામેટાની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે.

અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાનું બરવાળા બાવીસી ગામમાં આમ તો ઘણા પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને શાકભાજી સાથેની અન્ય ખેતી તરફ વળ્યા છે,પણ બરવાળાના અરવિંદ ડોબરીયા પાસે 40 વીઘા જમીન છે,જેમાં 10 વીઘામાં ટામેટાનું વાવેતર કર્યું છે.ટામેટાનું માંડવા બનાવીને વાવેતર કરીને વિશેષ રૂપમાં ખેતીને આધુનિક ખેતી સાથે ગાય આધારિત ખેતીમાં અરવિંદ ડોબરીયાએ છેલ્લા 10 વર્ષથી ટામેટાની ખેતી કરી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂતમાં ટામેટાએ  અરવિંદ ડોબરીયાને લખપતિ ખેડૂતની હરોળમાં મૂકી દીધા છે.જોકે હાલ ટામેટામાં સારા ભાવ નથી એટલે માલનું વેચાણ ઓછું કરવામાં આવે છે,પરંતુ જો સારા ભાવ હોય તો ટમેટામાં ખૂબ જ સારું ઉત્પાદન મળે છે.ટમેટામાં અંદાજિત 50 થી 60 ટકા નફો મળી રહે છે.ખેડૂત અરવિંદ ડોબરીયા ટામેટાની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરીને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.