અમરેલી : શિયાળામાં ભાદરવાનો માહોલ, બે ઇંચથી વધારે વરસાદથી લાસા ગામમાં નદીઓ વહી

શિયાળાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં કમોસમી વરસાદ વરસી રહયો હોવાથી ખેડુતોના લલાટે ચિંતાની લકીરો છે.

New Update
અમરેલી : શિયાળામાં ભાદરવાનો માહોલ, બે ઇંચથી વધારે વરસાદથી લાસા ગામમાં નદીઓ વહી

અમરેલી જિલ્લામાં મેઘરાજા અટકવાનું નામ લેતાં ન હોય તેમ લાગી રહયું છે. શિયાળાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં કમોસમી વરસાદ વરસી રહયો હોવાથી ખેડુતોના લલાટે ચિંતાની લકીરો છે. જિલ્લાના લાસા ગામમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી...

અમરેલીમાં હવે વરસાદ સામાન્ય બની ગયો છે. ઉનાળો હોય કે શિયાળો. મેઘરાજા અવિરત મહેર વરસાવી રહયાં છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેસરના કારણે રાજયભરમાં કમોસમી વરસાદ વરસી રહયો છે. અમરેલી જિલ્લાના ગીર પંથકમાં આવેલાં લાસા ગામમાં શિયાળામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. લાસામાં ભર શિયાળામાં નદી વહેતી જોવા મળી હતી. માવઠાના કારણે તુવેર, જીરૂ, ઘઉં, ચણા તથા ઘાસચારાને પાણીથી નુકશાન થયું છે.

ખાભાં તાલુકામાં આવેલાં લાસા ગામની વાત કરવામાં આવે તો ગામની વસતી 1,200 લોકોની છે અને મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. કોરોના બાદ હવે કુદરતી આફતોએ ખેડુતોના માથે પડતાં પર પાટુ માર્યું છે. લાસા ગામમાં મેઘરાજા તાંડવ કરતાં હોય તેમ થોડા જ કલાકોમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કમોસમી વરસાદથી ખેતીને નુકશાન થતાં ઉપજમાં ઘટાડો થવાની ચિંતા ખેડુતોને સતાવી રહી છે. ગામના સરપંચ રાજુભાઇએ જણાવ્યું હતું કે, એક તરફ મજૂરો મળતા નથી તેવામાં અચાનક વરસેલાં વરસાદે ખેતીના પાકોને નુકશાન કર્યું છે. ઘાસચારો પલળી જતા પશુધન પણ ઘાસચારા વગરનું રહે તેવા વરસાદે હેરાન પરેશાન કરી દીધા છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.