અમરેલી: નાયબ મામલતદારના વૃદ્ધ માતાની હત્યાથી ચકચાર

અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે નાયબ મામલતદારના માતાની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે.અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

New Update
  • અમરેલીમાં વૃદ્ધ મહિલાની હત્યાનો મામલો

  • નાયબ મામલતદારના માતાની હત્યા

  • અજાણ્યા શખ્સોએ આપ્યો ઘટનાને અંજામ

  • તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરી હત્યા

  • પોલીસે ગુન્હો નોંધી શરૂકરી તપાસ

અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે નાયબ મામલતદારના માતાની હત્યાનીઘટના પ્રકાશમાં આવી છે.અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીનેમોતને ઘાટ ઉતારી દીધા હતા.

અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે64 વર્ષીય પ્રભાબેનતેરૈયા નામની વૃદ્ધાનું તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. મૃતકવૃદ્ધ મહિલા જ્યારે ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના ઘરમાંગેરકાયદેસર પ્રવેશ કરી વૃદ્ધાના ગળા તેમજ છાતી સહિતના ભાગે છથી સાત જેટલા તીક્ષ્ણહથિયારના ઘા ઝીંકીને તેમની હત્યા કરવામાં આવી હતી.

અમરેલીનાનાયબ મામલતદાર રાજુ તેરૈયાનામાતા પ્રભાબેનની હત્યાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રભાબેન જ્યારેઘરે એકલા હત્યા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભેરૂરલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને ઘટના પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે,તેમજ આરોપીઓનીધરપકડ માટેનાચક્રો ગતિમાન કરવામાંઆવ્યા છે.

Read the Next Article

ગીર સોમનાથ : લાટી ગામના દરિયા કિનારે રહસ્યમય કન્ટેનર તણાઈ આવતા કુતુહલ,એજન્સીઓ દ્વારા તપાસ શરૂ

ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ કન્ટેનર જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.

New Update
  • લાટી દરિયા કિનારે તણાઈ આવ્યું રહસ્યમય કન્ટેનર 

  • રહસ્યમય કન્ટેનરથી ગ્રામજનોમાં કુતુહલ

  • તપાસમાં તાઇવાનના એક્વા પ્રેશર ટેન્ક મળી આવ્યા

  • શિપમાંથી કન્ટેનર પડી ગયા બાદ તણાઈ આવ્યાનું અનુમાન

  • કસ્ટમ અને પોલીસ વિભાગે શરૂ કરી કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ કન્ટેનર જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવતા ભારે કુતૂહલ સર્જાયું હતું.ઘટનાની માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. ગીર સોમનાથ એસઓજી,એલસીબી,મામલતદાર અને કસ્ટમ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા કન્ટેનરને દરિયા કિનારે લાવવામાં આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ કન્ટેનર કોઈ કાર્ગો શિપમાંથી દરિયામાં પડી ગયું હોઈ શકે છે.કસ્ટમ સહિતની એજન્સીઓ દ્વારા કન્ટેનર ખોલતા તાઇવાન બનાવટના એકવા પ્રેશર ટેન્ક હોવાનું સામે આવ્યું હતું.કસ્ટમ વિભાગ દ્વારા આ કન્ટેનર ક્યાંથી અપલોડ કરાયું અને ક્યાં જઈ રહ્યું હતું તે અંગે શિપિંગ એજન્સીઓ પાસેથી માહિતી એકત્ર કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.