અમરેલીમાં વૃદ્ધ મહિલાની હત્યાનો મામલો
નાયબ મામલતદારના માતાની હત્યા
અજાણ્યા શખ્સોએ આપ્યો ઘટનાને અંજામ
તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરી હત્યા
પોલીસે ગુન્હો નોંધી શરૂકરી તપાસ
અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે નાયબ મામલતદારના માતાની હત્યાનીઘટના પ્રકાશમાં આવી છે.અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીનેમોતને ઘાટ ઉતારી દીધા હતા.
અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે64 વર્ષીય પ્રભાબેનતેરૈયા નામની વૃદ્ધાનું તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. મૃતકવૃદ્ધ મહિલા જ્યારે ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના ઘરમાંગેરકાયદેસર પ્રવેશ કરી વૃદ્ધાના ગળા તેમજ છાતી સહિતના ભાગે છથી સાત જેટલા તીક્ષ્ણહથિયારના ઘા ઝીંકીને તેમની હત્યા કરવામાં આવી હતી.
અમરેલીનાનાયબ મામલતદાર રાજુ તેરૈયાનામાતા પ્રભાબેનની હત્યાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રભાબેન જ્યારેઘરે એકલા હત્યા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભેરૂરલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને ઘટના પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે,તેમજ આરોપીઓનીધરપકડ માટેનાચક્રો ગતિમાન કરવામાંઆવ્યા છે.