અમરેલી : રાજુલાના હિંડોરણા રોડ પર એસટી બસ,કાર અને બાઈક વચ્ચે થઇ ભયાનક ટક્કર,ટ્રિપલ અકસ્માતમાં ત્રણના મોત

અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ,સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

New Update
  • વડોદરાના યુવાનોને કાળ ભરખી ગયો 

  • અમરેલી સોમનાથ હાઇવે પર સર્જાયો અકસ્માત

  • કાર ડિવાઇડર કૂદીને એસટી બસમાં ભટકાય 

  • કાર એસટી બસ સાથે ભટકાતા વળ્યો કચ્ચરઘાણ  

  • ટ્રિપલ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવાનોના મોત

અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ દુર્ઘટનામાં એસટી બસ, સ્વિફ્ટ કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા.

અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ,સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ ગોઝારા માર્ગ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર ત્રણેય વ્યક્તિનાં ઘટના સ્થળ પરજ કરૂણ મોત નિપજ્યા હતા.આ યુવાનો વડોદરા જિલ્લાના પાદરાનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ દીવ તરફથી આવી રહ્યા હતા.

બાઈક ચાલકને એસટી બસ પાછળ ઘૂસી જવાને કારણે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, સ્વીફ્ટ કાર ઉછળીને એસટી બસની સાઈડમાં આવી જતા આ અકસ્માત સર્જાયો હતો.રાજુલા પોલીસ અને એસટી ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં મારુતિ સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, જેનાથી અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થાય છે.ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.