બોટાદ: કુંડળી ગામ નજીક રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

ગુજરાતમાં રાજ્યમાં સુરત બાદ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનાં કાવતરાનો પર્દાફાશ થયો છે,ટ્રેક પર 4 ફૂટના પિતાનો ટુકડો ઉભો કરવામાં આવ્યો હતો,જેની સાથે ટ્રેન અથડાતા એન્જીન બંધ થઈ ગયું હતું.

New Update

ટ્રેન ઉથલાવવાનાંપ્રયાસનું પુરનાવર્તન 

બોટાદમાં કુંડળી ગામ નજીકની ઘટના

ટ્રેક પર પાટાનોટુકડો મૂકીનેઉથલાવવાનો પ્રયાસ

ટ્રેનનુંએન્જીનટુકડા સાથે અથડાતા થયું બંધ

મોટી દુર્ઘટના ટળતારેલ યાત્રીઓનો થયો બચાવ

ગુજરાતમાં રાજ્યમાં સુરત બાદ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનાંકાવતરાનો પર્દાફાશ થયો છે,ટ્રેક પરફૂટના પિતાનો ટુકડો ઉભો કરવામાં આવ્યો હતો,જેની સાથે ટ્રેન અથડાતા એન્જીનબંધ થઈગયું હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.રેલવે પોલીસ સહિતનુંતંત્ર દોડતું થઇ ગયું હતું.

સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ફરીએકવારઆવી ઘટનાનો પ્રયાસ થયો છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવેટ્રેક પરફૂટ ઉંચાપાટાનો ટુકડો કોઇએ ઉભો કરી દીધો હતો.અને મોડી રાત્રેઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જીનબંધ થઈ ગયું હતું. અને ટ્રેન ટ્રેક પર ઉભી રહી જતા રેલ યાત્રીઓનાજીવ બચી ગયા હતા. ઘટનાની જાણ રેલવે વિભાગનેકરવામાં આવતા રેલવેના અધિકારીઓ સહિત પોલીસ તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા,અને ડોગસ્ક્વોડ-ડ્રોન કેમેરાની પણ મદદ લઈને તપાસ શરૂકરવામાં આવી છે.ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાનીઆશંકાએ પોલીસ તપાસ કરી રહી છે. અને બોટાદ પોલીસલોકલ ક્રાઇમ બ્રાન્ચ,એસઓજીસહિતની ટીમ આબનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ કરી રહી છે.

Read the Next Article

રોડ નહીં, તો ટોલ નહીં..! : વલસાડના બગવાડા ટોલનાકા ખાતે ટેક્ષી એસોસિએશનનું ઉગ્ર વિરોધ પ્રદર્શન....

વલસાડના બગવાડા ટોલનાકા ખાતે દમણ, વાપી, વલસાડ અને સેલવાસ ટેક્સી એસોસિએશન દ્વારા “રોડ નહીં, તો ટોલ નહીં”ના બેનરો સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • બગવાડા ટોલનાકા ખાતે ટેક્ષી એસોસિએશનનો વિરોધ

  • હાઇવે પર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકાર્યા

  • હલ્લાબોલ કરવા સાથે માર્ગ પર ચક્કાજામ પણ કરાયો

  • ઉગ્ર વિરોધ પ્રદર્શનથી માર્ગ પર ટ્રાફિકજામ પણ સર્જાયો

  • વરસાદે વિરામ લેતા પેચવર્કની કામગીરી શરૂ કરાશે :NHAI

સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કેભીલાડ સુધી નેશનલ હાઇવે નં. 48 પર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છેત્યારે વલસાડના બગવાડા ટોલનાકા ખાતે ટેક્ષી એસોસિએશન દ્વારા હલ્લાબોલ સાથે ચક્કાજામ કરી વિરોધ નોંધાવતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

વલસાડના બગવાડા ટોલનાકા ખાતે દમણવાપીવલસાડ અને સેલવાસ ટેક્સી એસોસિએશન દ્વારારોડ નહીંતો ટોલ નહીંના બેનરો સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલ ચોમાસા દરમ્યાન સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કેભીલાડ સુધી નેશનલ હાઇવે 48 પર ઠેર ઠેર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ખાડાઓના કારણે લોકોના વાહનોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીંલોકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે.

બગવાડા ટોલનાકા ખાતે મોટી સંખ્યામાં ટેક્સી માલિકો અને ટેક્સી ચાલકો રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો. મોટી સંખ્યામાં ટેક્સી એસોસિએશનના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓએ ટોલબુથની ઓફીસ પર પહોંચીને વિરોધ કર્યો હતો. રોડની ખરાબ હાલતને લઈને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી તાત્કાલિક ધોરણે રોડ બરાબર બનાવવામાં આવે તેવી માગ કરાય હતી. જોકેસમગ્ર મામલે વિરોધ પ્રદર્શન શરૂ થતા હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં તાત્કાલિક પારડી પોલીસ સ્થળ પર પહોંચી ચક્કાજામ કરી રહ્યા લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

જોકેઆ મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેકટ ડાયરેકટરે જણાવ્યું હતું કેઆ જે હાઇવે છે એ 6 લેન વાળો છેઅને આ હાઇવે પર સૌથી વધારે ટ્રાફિક હોય છે. આ સાથે જ આ વિસ્તારોમાં જે રીતે વરસાદ પડે છેજેને લઇને હાઇવેમાં પેચવર્કની કામગીરી ધીમી પડી જતી હોય છેત્યારે વરસાદ વિરામ લેતા જ પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવાયું છે.