ટ્રેન ઉથલાવવાનાંપ્રયાસનું પુરનાવર્તન
બોટાદમાં કુંડળી ગામ નજીકની ઘટના
ટ્રેક પર પાટાનોટુકડો મૂકીનેઉથલાવવાનો પ્રયાસ
ટ્રેનનુંએન્જીનટુકડા સાથે અથડાતા થયું બંધ
મોટી દુર્ઘટના ટળતારેલ યાત્રીઓનો થયો બચાવ
ગુજરાતમાં રાજ્યમાં સુરત બાદ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનાંકાવતરાનો પર્દાફાશ થયો છે,ટ્રેક પર4 ફૂટના પિતાનો ટુકડો ઉભો કરવામાં આવ્યો હતો,જેની સાથે ટ્રેન અથડાતા એન્જીનબંધ થઈગયું હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.રેલવે પોલીસ સહિતનુંતંત્ર દોડતું થઇ ગયું હતું.
સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ફરીએકવારઆવી ઘટનાનો પ્રયાસ થયો છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવેટ્રેક પર4 ફૂટ ઉંચાપાટાનો ટુકડો કોઇએ ઉભો કરી દીધો હતો.અને મોડી રાત્રેઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જીનબંધ થઈ ગયું હતું. અને ટ્રેન ટ્રેક પર ઉભી રહી જતા રેલ યાત્રીઓનાજીવ બચી ગયા હતા. ઘટનાની જાણ રેલવે વિભાગનેકરવામાં આવતા રેલવેના અધિકારીઓ સહિત પોલીસ તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા,અને ડોગસ્ક્વોડ-ડ્રોન કેમેરાની પણ મદદ લઈને તપાસ શરૂકરવામાં આવી છે.ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાનીઆશંકાએ પોલીસ તપાસ કરી રહી છે. અને બોટાદ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ,એસઓજીસહિતની ટીમ આબનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ કરી રહી છે.