અરવલ્લી: બાયડ તાલુકામાંથી નકલી SDM અધિકારીની ધરપકડ કરતી પોલીસ

ગુજરાતમાં નકલી અધિકારી અને નકલી કચેરી બાદ બાદ પણ નકલીનો સિલસિલો યથાવત રહ્યો છે,અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પંથક માંથી પોલીસે નકલી SDMની ધરપકડ કરી હતી.

New Update

ગુજરાતમાં નકલી અધિકારી અને નકલી કચેરી બાદ બાદ પણ નકલીનો સિલસિલો યથાવત રહ્યો છે,અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પંથક માંથી પોલીસે નકલી SDMની ધરપકડ કરી હતી.

સમગ્ર રાજ્યમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે. ક્યારેક નકલી કચેરી, નકલી ટોલ, નકલી અધિકારી પકડાતા હોય છે, પણ આના પર ક્યારેય રોક લાગતી હોય તેવું જોવા નથી મળ્યું પણ દિવસને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે.અરવલ્લી જિલ્લામાં પહેલા કથિત સિંચાઈ વિભાગની કચેરી મળી હતી,ત્યારે હવે એક નકલી અધિકારી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.બાયડ તાલુકાના સાઠંબાના ઈન્દ્રામ પંથકમાં પોલીસની ટીમ રાયોટીંગના ગુનામાં તપાસ અર્થે ગઈ હતી. જોકે તે દરમિયાન પ્રકાશ ધીરજભાઈ નાઈએ પોતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકેની ઓળખાણ આપી હતી. એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ ઓળખકાર્ડ પણ બતાવી જણાવ્યું કે, તે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ - 2022 થી રેવન્યુ વિભાગમાં એ.ડી.એમ. તરીકે ફરજ બજાવે છે.પોલીસને તેની વાત પર શંકા જતાં યોગ્ય તપાસ કરાવી હતી,જેમાં પ્રકાશ નાઈનો ભાંડો ફૂટી ગયો હતો.અને પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી હતી. 
Read the Next Article

ભરૂચ: ઝાડેશ્વરની સંસ્કાર વિદ્યાભવન શાળામાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વાલીઓનો હોબાળો, શાળા સંચાલકોને કરાય રજુઆત

વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.

New Update
  • ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી છે શાળા

  • સંસ્કાર વિદ્યાભવન શાળાનો વધુ એક વિવાદ

  • સ્કૂલ વાહનોને અડધો કી.મી.દૂર ઉભા રખાય છે

  • સ્કૂલમાંથી જ નાસ્તા માટે દબાણ કરાતું હોવાના આક્ષેપ

  • શાળા સંચાલકોએ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવનમાં વાલીઓએ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવી શાળા સંચાલકોને રજૂઆત કરી હતી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવન શાળા હંમેશા વિવાદોમાં સપડાતી રહે છે. તાજેતરમાં જ જિલ્લાશિક્ષણાધિકારીએ શાળાને લોગો વાળી બુકના વેચાણ મામલે નોટીસ પાઠવ્યા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે.
આજરોજ વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને આચાર્યને રજુઆત કરી હતી.વાલીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.
આ ઉપરાંત કાળઝાળ ગરમી વચ્ચે શાળામાં વારંવાર વીજળી ડુલ થઈ જાય છે આમ છતાં જનરેટર સહિતની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ગરમીમાં શેકાવાનો વારો આવે છે. તો બીજી તરફ શાળામાંથી અપાતા ભોજનની ગુણવત્તા ન હોવા છતાં સંચાલકો દ્વારા શાળામાં ફરજિયાત ભોજનનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે જેની સામે વાલીઓએ રોષ વ્યક્ત કરી તેઓના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી
અંગે શાળાના આચાર્ય શૈલજા સિંગે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે.આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.