Connect Gujarat
ગુજરાત

પૂંછ-જમ્મુ હાઇવે પર આર્મીના વાહનમાં લાગી આગ, 5 જવાન શહીદ

પૂંછ-જમ્મુ હાઇવે પર આર્મીના વાહનમાં લાગી આગ, 5 જવાન શહીદ
X

પૂંછ-જમ્મુ હાઇવે પર આર્મીના વાહનમાં આગ લાગી હતી. સેનાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પીઆરઓ ડિફેન્સ જમ્મુએ જણાવ્યું કે પૂંછ જિલ્લામાં આર્મી ટ્રકમાં આગ લાગવાથી સેનાના પાંચ જવાનો શહીદ થયા છે. આ ઘટના ભાટા ધુરિયન વિસ્તારમાં હાઈવે પર બની હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રક્ષા મંત્રી રાજનાથને આ ઘટના અંગે જાણકારી આપી છે.

ભારતીય સેનાએ કહ્યું કે, “અજ્ઞાત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછની વચ્ચે ચાલી રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો. આતંકવાદીઓ દ્વારા સંભવિત ગ્રેનેડ હુમલાના કારણે વાહનમાં આગ લાગી હતી.

સેનાએ કહ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના જવાનોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો. અન્ય ગંભીર રીતે ઘાયલ સૈનિકને તાત્કાલિક રાજૌરીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેની સારવાર ચાલી રહી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓ તપાસ માટે સ્થળ પર પહોંચ્યા છે અને હાલમાં આ સમગ્ર ઘટના અંગે તપાસ ચાલી રહી છે. જ્યાં આ ઘટના બની તે પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Next Story