ધંધુકામાં માલધારી યુવાનની હત્યા, રાજયભરમાં વિરોધ પ્રદર્શનોનો દોર

અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યા કેસમાં કટ્ટરવાદનો એન્ગલ સામે આવ્યો છે.

New Update
ધંધુકામાં માલધારી યુવાનની હત્યા, રાજયભરમાં વિરોધ પ્રદર્શનોનો દોર

અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યા કેસમાં કટ્ટરવાદનો એન્ગલ સામે આવ્યો છે. કિશન ભરવાડની હત્યા બાદથી શરૂ થયેલો વિરોધ પ્રદર્શનોનો સિલસિલો યથાવત રહયો છે....

અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ નામના માલધારી યુવાનની હત્યાના કિસ્સાએ રાજયભરમાં ચકચાર જગાવી છે. કિશનની તારીખ 25મી જાન્યુઆરીના રોજ ગોળી મારી હત્યા કરાય હતી. હત્યા કેસમાં હાલ મૌલવી સહિત બે કટ્ટરવાદી યુવાનો પોલીસ હિરાસતમાં છે. કિશન ભરવાડના પરિવારને ન્યાય મળે તથા આરોપીઓને ફાંસીની સજા થાય તેવી હીંદુ સંગઠનો માંગણી કરી રહયાં છે. કિશનની હત્યા બાદથી રાજયભરમાં વિરોધ પ્રદર્શનો અને દેખાવો થઇ રહયાં છે જે હજી પણ ચાલુ જ રહયાં છે. અંકલેશ્વરના ગડખોલમાં મૃતક કિશનને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી...

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા લીમડી શહેરના બજારો બંધ રહયાં હતાં. માલધારી યુવાનની હત્યામાં પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે હીંદુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું. લીમડીના બજારોમાં દુકાનો બંધ જોવા મળી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

અમરેલીના જાફરાબાદમાં પણ રેલી યોજી તંત્ર વાહકોને આવેદનપત્ર આપવામાં આવ્યું...

ભાવનગરમાં પણ હીંદુ સંગઠનોના નેજા હેઠળ રેલી યોજી કટ્ટરવાદીઓનો વિરોધ કરાયો હતો.

વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાના એલ એન્ડ ટી સર્કલથી કલેકટર કચેરી સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી. માલઘારી યુવાનના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ આગેવાનોએ કરી છે. તાપી અને જુનાગઢમાં પણ હીંદુ સંગઠનોએ દેખાવો યોજયાં હતાં.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.