બનાસકાંઠા : થરાદ માર્કેટિંગ યાર્ડ નજીક 2 દુકાનો ભડકે’ બળી, ફાયર ફાઇટરો દોડ્યા...

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • થરાદમાં માર્કેટિંગ યાર્ડ સામે આગ લાગવાની ઘટના

  • 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ

  • જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું

  • આગના પગલે ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા

  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસારબનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલ માર્કેટિંગ યાર્ડ સામે પટેલ ટ્રેડર્સ અને વૃંદાવન મશીનરી નામની 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ 2 જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જોકેઆગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુંપ્રાથમિકઅનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Read the Next Article

નવસારી : જાહેરમાં કચરો નાખનાર સાવધાન,મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા લગાવી બાજ નજર રખાશે

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના છ સ્થળોએ કચરો નાખવાના વિવિધ સ્થાન પર  સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. કચરાપેટી બહાર કચરો નાંખનારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે

author-image
By Connect Gujarat Desk
New Update
  • મહાનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું

  • જાહેરમાં કચરો નાખનાર હવે દંડાશે

  • મનપા સીસીટીવી કેમેરાથી રાખશે નજર

  • કચરો કચેરાપેટીમાં જ નાખવા અપીલ

  • નિયમનો ભંગ કરશો તો થશે દંડાત્મક કાર્યવાહી 

નવસારી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા તરફથી મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. હવે કચરો ફેંકનારાઓએ સાવધાન રહેવું પડશે કારણ કે દરેક હરકત પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના છ સ્થળોએ કચરો નાખવાના વિવિધ સ્થાન પર  સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. કચરાપેટી બહાર કચરો નાંખનારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.આ તમામ સ્થળોનું મોનિટરિંગ હવે સીધું મહાનગરપાલિકા કચેરીમાંથી કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આ પોઇન્ટ ઉપર જો કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો નાખતી જોવા મળશેતો તેના સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેનું મહત્વરૂપ પગલું ભર્યું છે,ત્યારે નાગરિકો પણ મનપાના આ કાર્યમાં સહયોગ આપે તે પણ જરૂરી છે.