બનાસકાંઠા : સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત-10થી વધુ લોકો ઘાયલ

બનાસકાંઠાના જિલ્લાના સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 10થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • ભારતમાલા હાઇવે પર સર્જાય ગમખ્વાર અકસ્માતની ઘટના

  • સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત

  • ગોઝારા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં

  • અકસ્માતમાં બસમાં સવાર 10થી વધુ લોકોને પહોચી ઇજાઓ

  • ઘાયલોને ભાભર-થરાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

બનાસકાંઠાના જિલ્લાના સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતાજ્યારે 10થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોના મોત થયા છે. બનાસકાંઠાના સૂઇગામ નજીક ભારત માલા હાઇવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થતાં 3 લોકોના મોત નિપજ્યા છેજ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસારજામનગરથી રાજસ્થાન જતી લક્ઝરીને બનાસકાંઠાના જિલ્લાના સૂઇગામ તાલુકાના સોનેથ ગામ નજીક રોંગ સાઇડે આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાજ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. મધરાતે ધડાકો સંભળાતા સ્થાનિકો એકઠા થયા હતાઅને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તુરંત ઘટનાસ્થળે દોડી જઇ ઘાયલોને સારવાર અર્થે 108 મારફતે ભાભર અને થરાદ સહિતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા છેજ્યારે મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે સુઇગામની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કેખાનગી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઉપરાંત ખાનગી બસ અને ટેન્કરને અલગ કરવા માટે પોલીસને 3 ક્રેઇનની મદદ લેવી પડી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.