/connect-gujarat/media/post_banners/65c994e7d0b625a19391e2b2372ea4ba84e41879f6f602852a431f280cb808ec.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી તેમનો કાફલો ચીખલા હેલિપેડ પહોચ્યો હતો, જ્યાંથી તેઓ અંબાજી પહોંચતા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી અંબાજી મંદિરે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકોએ પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓએ યાત્રાધામ અંબાજી પહોંચી માઁ અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યું હતું. આ અવસરે વડાપ્રધાને અંબાજીમાં અનેક વિકાસ કામોની ભેટ ધરી હતી.