બનાસકાંઠા: અંબાજી નજીક ત્રણ ખાનગી બસ પર પથ્થરમારાથી યાત્રિકો ભયભીત,બસના કાચ તૂટ્યા

બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.જેના કારણે બસમાં સવાર યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

New Update
  • અંબાજી નજીક બસ પર પથ્થરમારો

  • ત્રણ ખાનગી બસ પર થયો પથ્થરમારો

  • યાત્રિકોનો આબાદ બચાવ

  • પથ્થરમારામાં બસના તૂટ્યા કાચ

  • પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.જેના કારણે બસમાં સવાર યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.અસામાજિક તત્વો દ્વારા લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના પાનસા ગામ નજીક ગતરાત્રે અંબાજીથી મહેસાણા જતી 3 લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો હતો. ભક્તો માતાજીનાં દર્શન કરીને પરત જતા હતા તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. કેટલાક અસામાજિક તત્ત્વોએ બસના આગળના કાચને પણ તોડી નાખ્યા હતા. આ ઘટનામાં સદનસીબે તમામ યાત્રિકોનો આબાદ બચાવ થયો છે.

આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.અને પોલીસ દ્વારા ઘટર્નાનાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.સર્જાયેલી ઘટનાને પગલે યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો,અને પોલીસ દ્વારા વધુ ધનિષ્ટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ યાત્રિકોમાં ઉઠવા પામી છે.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.