બનાસકાંઠા : દિવાળીના તહેવારોમાં યાત્રાધામ અંબાજીનો ભંડાર છલકાયો, રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારોમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો છે, જ્યાં મંદિરનો ભંડાર છલકાતા રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું છે.

New Update
  • યાત્રાધામ અંબાજીમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો

  • દિવાળી દરમ્યાન યાત્રાધામ અંબાજીનો ભંડાર છલકાયો

  • તહેવારો બાદ 3 વાર અંબાજી મંદિરનો ભંડાર ખોલાયો

  • CCTVની નજરમાં 70થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાયા

  • રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું પણ દાન આવ્યું

Advertisment

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારોમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો છેજ્યાં મંદિરનો ભંડાર છલકાતા રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું છે.

શક્તિ અને ભક્તિ માટે જાણીતુ માઁ અંબાજીનું મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર બનાસકાંઠા જીલ્લામાં આવેલુ છે. અહીં માતાના દર્શને આવેલા શ્રદ્વાણુઓએ માતાજીનો ભંડારો છલકાવી દીધો છે. દિવાળીના તહેવારો તેમજ દેવ દિવાળી બાદ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શને ઉમટ્યા હતા. દીવાળીની સીઝનમાં અલગ-અલગ 3 વાર ભંડારા ખોલવામાં આવ્યા હતા. CCTVની નજરમાં 70થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાયા હતા. આ ભંડારની ગણતરી કરતા મંદિરને કરોડો રૂપિયાનું દાન મળ્યુ છે. દિવાળી બાદના પ્રથમ ભંડારની પ્રથમ ગણતરીની વાત કરીએ તો રૂ. 64 લાખની આવક થઇ છે. બીજા ભંડારાની ગણતરીમાં રૂ. 52 લાખની આવકજ્યારે ત્રીજા ભંડારાની ગણતરીમાં અંદાજે રૂ. 45થી 50 લાખની થઈ છે. આવક કુલ રૂ. 1.65 કરોડોની રોકડ આવક સાથે સોના-ચાંદીનું પણ દાન આપવામાં આવ્યું હતું. જોકેઆ ઉપરાંતના દિવસોમાં ભંડારની આવક ઓછી હોવાનું અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યુ હતું.

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવા ગયેલ મહિલાનો પોલીસે જીવ બચાવ્યો, ભાઈની તકરારમાં માઠુ લાગી આવતા ગઈ હતી આપઘાત કરવા !

અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ધી મળી હતી કે  એક મહિલા નર્મદા મૈયા બ્રીજ ઉપરથી આત્મહત્યા કરવા જાય છે જે વર્ધી અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વી.યુ ગડરીયાએ

New Update
images (2) 111
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ધી મળી હતી કે  એક મહિલા નર્મદા મૈયા બ્રીજ ઉપરથી આત્મહત્યા કરવા જાય છે જે વર્ધી અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વી.યુ ગડરીયાએ પોલીસ સ્ટાફના માણસોને જાણ કરી તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના આપતા નર્મદા મૈયા બ્રીજ ઉપર જઇ તપાસ કરતા  મહીલા નર્મદા મૈયા બ્રિજ ઉપર દેખાતા તાત્કાલીક સમય સુચકતા વાપરી મહિલાને નર્મદા નદીમા કુદતા પહેલા બચાવી લેવામાં આવી હતી અને  તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેના ભાઇ સાથે બોલાચાલી થતા લાગી આવતા આત્મહત્યા કરવાનું વિચારીને નર્મદા નદીમાં આત્મહત્યા કરવા નદીમાં કુદી જવા માટે ગઈ હોવાની વિગતો બહાર આવી હતી.પોલીસે મહિલાને તેના પતિ તથા ભાઇનો સંપર્ક કરી કાઉન્સલીંગ કરી સમજાવી પરીવાર સાથે મોકલી આપવામં આવી હતી.