બનાસકાંઠા : દિવાળીના તહેવારોમાં યાત્રાધામ અંબાજીનો ભંડાર છલકાયો, રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારોમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો છે, જ્યાં મંદિરનો ભંડાર છલકાતા રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું છે.

New Update
  • યાત્રાધામ અંબાજીમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો

  • દિવાળી દરમ્યાન યાત્રાધામ અંબાજીનો ભંડાર છલકાયો

  • તહેવારો બાદ 3 વાર અંબાજી મંદિરનો ભંડાર ખોલાયો

  • CCTVની નજરમાં 70થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાયા

  • રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું પણ દાન આવ્યું

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારોમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો છેજ્યાં મંદિરનો ભંડાર છલકાતા રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું છે.

શક્તિ અને ભક્તિ માટે જાણીતુ માઁ અંબાજીનું મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર બનાસકાંઠા જીલ્લામાં આવેલુ છે. અહીં માતાના દર્શને આવેલા શ્રદ્વાણુઓએ માતાજીનો ભંડારો છલકાવી દીધો છે. દિવાળીના તહેવારો તેમજ દેવ દિવાળી બાદ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શને ઉમટ્યા હતા. દીવાળીની સીઝનમાં અલગ-અલગ 3 વાર ભંડારા ખોલવામાં આવ્યા હતા.CCTVની નજરમાં 70થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાયા હતા. આ ભંડારની ગણતરી કરતા મંદિરને કરોડો રૂપિયાનું દાન મળ્યુ છે. દિવાળી બાદના પ્રથમ ભંડારની પ્રથમ ગણતરીની વાત કરીએ તો રૂ. 64 લાખની આવક થઇ છે. બીજા ભંડારાની ગણતરીમાં રૂ. 52 લાખની આવકજ્યારે ત્રીજા ભંડારાની ગણતરીમાં અંદાજે રૂ. 45થી 50 લાખની થઈ છે. આવક કુલ રૂ. 1.65 કરોડોની રોકડ આવક સાથે સોના-ચાંદીનું પણ દાન આપવામાં આવ્યું હતું. જોકેઆ ઉપરાંતના દિવસોમાં ભંડારની આવક ઓછી હોવાનું અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યુ હતું.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.