પશુ માટે ફરજિયાત લાયસન્સના કાયદાનો વિરોધ, ભરૂચ અને વડોદરાના પશુપાલકોએ પાઠવ્યું આવેદન

હવે, રાજ્યમાં પશુપાલકોએ ફરજિયાત લાયન્સસ લેવાના ગુજરાત વિધાનસભા સત્રના બિલ સામે માલધારી સમાજ દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે

New Update
પશુ માટે ફરજિયાત લાયસન્સના કાયદાનો વિરોધ, ભરૂચ અને વડોદરાના પશુપાલકોએ પાઠવ્યું આવેદન

હવે, રાજ્યમાં પશુપાલકોએ ફરજિયાત લાયન્સસ લેવાના ગુજરાત વિધાનસભા સત્રના બિલ સામે માલધારી સમાજ દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે, ત્યારે ભરૂચ અને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું.

હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભા સત્રમાં શહેરી વિસ્તારમાં ઢોરોને નિયંત્રણમાં લેવા તથા પશુ રાખવા તેમજ પકડાયેલા પશુઓના માલિકને દંડ અને સજાની જોગવાઈ સંદર્ભે 2 બિલ પસાર કરવામાં આવનાર છે, ત્યારે આ ફરજીયાત લાયન્સસ માટેના બિલના વિરોધમાં ભરૂચ જિલ્લા ગોપાલક માલધારી સમાજ મેદાને આવ્યું છે. ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી આ કાયદો મુલતવી રાખવા માંગ કરાય હતી. ગુજરાત માલધારી મહાપંચાયતના જણાવ્યા અનુસાર, કોરોનાના કપરા કાળ દરમિયાન પણ આ સમાજ દ્વારા અનેક સેવા પ્રવૃત્તિઓ તેમજ લોકોને દૂધ પહોંચાડવાનું કામ દિવસ રાત એક કરી ભાવ વધારો કર્યા વગર થયું છે, ત્યારે આ કાયદાથી માલધારી સમાજમાં આક્રોશ ફેલાયો છે. આથી આ કાયદો મુલતવી રાખવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

તો બીજી તરફ, વડોદરા ખાતે પણ પશુપાલક અને માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી માલધારી વિરોધી બિલ પરત ખેંચવાની માંગ કરાય હતી. રખડતા ઢોરને નિયંત્રણ માટે ફરજિયાત લાયસન્સ અને રઝળતા પકડાયેલા પશુઓના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામાં આવ્યું છે. જેનો સમગ્ર પશુપાલક વર્ગ અને માલધારી સમાજ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. વડોદરા જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં પણ ભાવ વધારા વગર પશુપાલકોએ દૂધ આપ્યું છે. ગુજરાતની શ્વેત ક્રાંતિમાં પશુપાલક અને માલધારી સમાજ મહત્વનો પાસો છે. જેથી તાત્કાલિક ધોરણે બિલ પરત ખેંચવા પશુપાલકોએ માંગ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.