ભરૂચ : જંબુસરના કનગામની માઇનોર કેનાલમાં પડ્યા ગાબડાં, યોગ્ય રિપેરિંગ કામ નહીં થતાં ખેડૂતોને ભારે હાલાકી

નર્મદા નિગમના કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ બનતા ખેડૂતો, ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મેળવવામાં પડે છે ઘણી તકલીફ.

New Update
ભરૂચ : જંબુસરના કનગામની માઇનોર કેનાલમાં પડ્યા ગાબડાં, યોગ્ય રિપેરિંગ કામ નહીં થતાં ખેડૂતોને ભારે હાલાકી

 જિલ્લાના જંબુસર તાલુકાના કનગામની માઇનોર કેનાલનું યોગ્ય રિપેરિંગ કામ નહીં કરાતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

જંબુસર તાલુકાના કનગામની સીમમાં આવેલ નર્મદા માઇનોર કેનાલ 1-2-3માં છેલ્લા ઘણા વર્ષોથી સમારકામનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી, ત્યારે આ મામલે ગામના આગેવાનો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી યોગ્ય નિરાકરણ ન આવતા ધરતીપુત્રોને ભારે હાલાકી પડી રહી છે. નર્મદા નિગમના કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ ખેડૂતોને બનવું પડે છે. વર્ષોથી આ કેનાલમાં પાણી આવ્યું નથી. માઇનોર કેનાલની હાલત અત્યંત બિસ્માર છે અને ઠેર ઠેર ગાબડાં પણ પડી રહ્યા છે, ત્યારે ખેડૂતોની આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Latest Stories