ભરૂચ : છેલ્લા 11 વર્ષથી પાલેજ વાયા ટંકારીયા-હિંગલ્લા માર્ગ છે બિસ્માર

પાલેજ વાયા ટંકારીયા-હિંગલ્લા માર્ગ અત્યંત બિસ્માર, વાહનચાલકોને આવ્યો હેરાન પરેશાન થવાનો વારો.

New Update
ભરૂચ : છેલ્લા 11 વર્ષથી પાલેજ વાયા ટંકારીયા-હિંગલ્લા માર્ગ છે બિસ્માર

ભરૂચ જિલ્લાના પાલેજ વાયા ટંકારીયા-હિંગલ્લા માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ટંકારીયા માર્ગ પર આસપાસના ગ્રામજનોએ એકત્ર થઇ તંત્ર વિરૂધ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

ભરૂચ જિલ્લાના પાલેજ વાયા ટંકારીયા થઇ ભરૂચ તરફ જતો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં થઇ જતા વાહનચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. માર્ગ બિસ્માર બનતા ગ્રામજનોએ ટંકારીયા માર્ગ નજીક એકત્ર થઈ તંત્ર વિરૂધ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ટંકારિયા ગામના યુવા કોંગી કાર્યકર અફજલ ઘીડીવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 11 વર્ષથી આ માર્ગ બન્યો નથી. તેમજ માર્ગના કામ અર્થે સંબંધિત અધિકારીઓને પણ વારંવાર રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી આ મામલે કોઈ નિરાકરણ આવ્યું નથી. જો આ માર્ગનું વહેલીતકે બનાવવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા જલદ કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ગરુડ સેના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં કાર્યકરત ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી
Latest Stories