ભરૂચ: દેવાલયો અનલોક થતાં ભક્તોનો ધસારો

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો, નિયમોના પાલન સાથે દેવાલયો ખોલવામાં આવ્યા.

New Update
ભરૂચ: દેવાલયો અનલોક થતાં ભક્તોનો ધસારો

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે ભરૂચમાં વિવિધ નિયમોના પાલન સાથે મંદિરો ખોલવામાં આવતા ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભરૂચ શહેર જિલ્લામાં અનલોકની વધુ છૂટછાટ સાથે બે માસથી બંધ ભગવાનના દ્વાર ભક્તો માટે ખુલતા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે.ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થતાં શુક્રવારથી લોકોની આસ્થાના પ્રતીક એવા વિવિધ મંદિરો કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો માટે શુક્રવારથી ખુલી ગયા છે. ગાઈડલાઈન મુજબ એક સમયે 50 ભક્તો જ સોસીયલ ડિસ્ટનસીસ સાથે દર્શન કરી શકે છે. વિવિધ મંદિરોમાં સેનેટાઇઝર અને શોશ્યલ ડિસ્ટન્સની જાળવણી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ભકતોએ કોવિડ-19ની ગાઈડ લાઇનના પાળ સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.