ભરૂચ: વાલિયામાં ફરી એકવાર 4 ઇંચ વરસાદ ખાબક્યો,નર્મદા ડેમની સપાટી 134.96 મીટરે સ્થિર

ભરૂચના કુલ નવ પૈકી છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે ધોધમાર વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા

New Update

ભરૂચ ના કુલ નવ પૈકી છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે ધોધમાર વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 9 પૈકી 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો વાગરામાં 1 ઇંચ,ભરૂચમાં 3 ઇંચ,ઝઘડિયામાં 2 ઇંચ, અંકલેશ્વરમાં 2 ઇંચ,વાલીયામાં 4 ઇંચ અને નેત્રંગમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા.તો આ તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પણ સ્થિર જોવા મળી રહી છે.નર્મદા ડેમની સપાટી 134.96 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની 1.48 લાખ ક્યુસેક પાણીની આવક છે. તો નર્મદા નદીમાં કુલ ૧.૧૭ લાખ પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમ 88.5% ભરાયો છે.

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું