ભરૂચ: જંબુસર-આમોદ રોડ પર ઉભેલી ટ્રક સાથે ઇકો કાર ભટકાતા 7 લોકોના કમકમાટીભર્યા મોત

મગણાદ નજીક હાઇવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચયારિયોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા

New Update
  • ભરૂચના આમોદ જંબુસર રોડ પર અકસ્માત

  • મગણાદ ગામ નજીક અકસ્માત સર્જાયો

  • અકસ્માતમાં 7 લોકોના મોત

  • 3 લોકો ગંભીર રીતે ઘાયલ

  • ઉભેલી ટ્રક પાછળ ઇકો ધડાકાભેર ભટકાય

Advertisment
ભરૂચના જંબુસર-આમોદ રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 7 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જેમાં મૃતકોમાં બે મહિલા, બે બાળકો અને બે પુરુષ સહિતનાઓ નો સમાવેશ થાય  છે. અન્ય 3 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. અકસ્માતની જાણ થતા જંબુસર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પાંચકડા અને ટંકારી ગામના સગાસંબંધીઓ ઇકો કાર નંબર GJ -16-AU 6225 લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલી જાત્રાએ જતા સમયે મગણાદ નજીક હાઇવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચયારિયોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક  108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જ્યારે સારવાર દરમિયાન પણ ઇજાગ્રસ્તનું હોસ્પિટલના બિછાને કરૂણ મોત નીપજ્યું હતું,આમ મૃત્યુ આંક 7 પર પહોંચ્યો હતો.
જયારે અન્ય 3 ઇજાગ્રસ્તોને વધુ ધનિષ્ઠ સારવાર માટે વડોદરા ખાતે રીફર કરાયા છે.અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ ઇન્સ્પેકટર એ.વી.પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી.
Advertisment
જ્યારે નાયબ વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી, જંબુસરના ધારાસભ્ય ડી.કે.પટેલ જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.અકસ્માતની જાણ થતા જ હોસ્પિટલ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માતમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને કારનું પતરું ચીરી બહાર કાઢવામાં આવ્યા હતા.મૃતકોમાં 3 પુરુષ,2 મહિલા અને 2 બાળકો સહિતનાઓનો સમાવેશ થાય છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોના નામ:-
1 સપનાબેન જયદેવ ગોહિલ
Advertisment
2 જયદેવ ગોવિંદભાઈ ગોહિલ બંને રહે. પાચકડા 
3 કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ રહે. અલાદાર 
4 હંસાબેન અરવિંદ જાદવ રહે. વેડચ
5 સંધ્યાબેન અરવિંદ જાદવ રહે. વેડચ
6 વિવેક કુમાર ગણપત પરમાર રહે. ટંકારી બંદર
ઇજાગ્રસ્તોના નામ:-
1 નીધીબેન ગણપત રહે. ટંકારી બંદર
2 મિતલબેન ગણપતભાઇ રહે. ટંકારી બંદર
3 ગણપતભાઇ રમેશભાઈ રહે. ટંકારી બંદર
4 અરવિંદભાઈ રવજીભાઈ રહે. વેડચ
Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment