અંકલેશ્વર: પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં POCSO Act-2012ની સમજ આપતો સેમિનાર યોજાયો

અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ તથા પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા  જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 એટલે કે POCSO Act, 2012ની સમજ આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
a

અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ તથા પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા  જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 એટલે કે POCSO Act, 2012ની સમજ આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એલર્જીસ્ટ  ડો. વિક્રમ પ્રેમકુમાર, ગાયનેકોલોજીસ્ટ ડો. પલક કાપડિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે જ જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન એક્ટ) 2000 આ અધિનિયમ વિશે પણ અગત્યની માહિતી આપવામાં આવી હતી. બાળકોને જાતીય ગુનાઓ સામે કેવી રીતે બચાવી શકાય અને તેના માટે કયા કયા પગલાં લઈ શકાય તેની  માહિતી આ સેમીનારમાં સમજાવવામાં આવી હતી.સદર સેમિનારમાં પોદાર જમ્બો કિડ્સના હેડ મનીષાબા ગોહિલ તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.

Latest Stories