ભરૂચ હાઇવે પર ટેમ્પાની ટક્કરે મહિલાનો પગ ટાયર નીચે દબાયો, પોલીસે બચાવ્યો મહિલાનો જીવ..

ભરૂચ નેશનલ હાઇવે પર એક મહિલા પોતાના ચાર માસના બાળકને લઇને પસાર થઇ રહી હતી.તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

New Update

ભરૂચ નેશનલ હાઇવે પર એક મહિલા પોતાના ચાર માસના બાળકને લઇને પસાર થઇ રહી હતી.તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં મહિલાનો પગ ટાયર નીચે દબાઈ ગયો હતો,જોકે પોલીસ દ્વારા ટેમ્પાનું ટાયર કાઢીને મહિલાનો જીવ બચાવવામાં આવ્યો હતો.

ભરૂચ નેશનલ હાઇવે અમરાવતી ખાડી પાસેથી રેણુ બારીયા નામની મહિલા પોતાના ચાર માસના બાળકને સાથે લઈને રસ્તા પરથી પસાર થઇ રહી હતી,તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા માતા અને બાળક રોડ પર પટકાયા હતા,જેમાં મહિલાનો પગ ટેમ્પાના ટાયર નીચે દબાઈ ગયો હતો,આ અંગે હાઇવે પેટ્રોલિંગ કરતી પોલીસની ટીમને જાણ થતા પોલીસ જવાનો દોડી આવ્યા હતા,અને ચાર માસના બાળકને પોતાની પાસે સુરક્ષિત રાખીને ટેમ્પાના ટાયર નીચે દબાયેલ મહિલાનો પગ બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી હતી.તેમજ ટેમ્પાનું ટાયર કાઢી લઈને મહિલાનો પગ બહાર કાઢવામાં આવ્યો હતો.અને પોલીસ દ્વારા માતા તેમજ ચાર માસના બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સર્જાયેલી ઘટનામાં હાઇવે પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનોની સેવાકીય કામગીરીની લોકો એ પ્રશંસા કરીને બિરદાવી હતી.
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.