ભરૂચ-અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ પુન:કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી !

ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે

New Update
  • ભરૂચ- અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો

  • વાતાવરણમાં ઠંડક પ્રસરી

  • ખેડૂતોમાં ચિંતાનું મોજું

  • 3 દિવસ અગાઉ ફૂંકાયું હતું મીની વાવાઝોડુ

Advertisment
ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે

ભરૂચ શહેર અને જિલ્લામાં ભર ઉનાળામાં ચોમાસા જીવો માહોલ જોવા મળી રહ્યો છે ત્રણ દિવસ અગાઉ મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ મેઘરાજાએ એક દિવસનો વિરામ લીધો હતો તો આજે સવારથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરીવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો.વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો બીજી તરફ સવારના સમયે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

આ તરફ અંકલેશ્વરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છેમએક દિવસના વિરામ બાદ અંકલેશ્વરમાં પણ પુનઃ એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છેમઅંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો આ તરફ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.અગાઉ ફુકાયેલા ભારે પવનના કારણે કેરી અને કેળના પાકને વ્યાપક નુકસાન થયું હતું ત્યારે ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે.
Advertisment
Latest Stories