ભરૂચ શહેરમાં વરસાદી માહોલ બાદ મુખ્ય માર્ગ પર ગટરના પાણી ફરી વળ્યા,વાહન ચાલકોએ વેઠી પારાવાર મુશ્કેલી

રાહદારી તેમજ વાહન ચાલકોએ ભારે ત્રાસ જનક પરિસ્થિતિ માંથી પસાર થવું પડી રહ્યું છે,ત્રણ દિવસથી ઉભરાતી ગટરના પાણી મુખ્ય રસ્તા પર વહી રહ્યા છે,ત્યારે હવે નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.   

New Update
ભરૂચ શહેરને વરસાદી પાણીએ ધમરોળ્યા બાદ હવે ગટરના પાણી શહેરીજનો માટે શિરદર્દ સમાન બન્યા છે. વરસેલા મુશળધાર વરસાદના પાણી તો શહેરમાંથી ઓસરી ગયા છે,પરંતુ સતત ત્રણ દિવસથી શહેરના કસક સર્કલ પાસે ઉભરાતી ગટરના કારણે સમગ્ર રસ્તા પર દુર્ગંધ મારતા પાણી ભરાય ગયા છે.
જેના કારણે માર્ગ  પરથી પસાર થતા રાહદારી તેમજ વાહન ચાલકોએ ભારે ત્રાસ જનક પરિસ્થિતિ માંથી પસાર થવું પડી રહ્યું છે,ત્રણ દિવસથી ઉભરાતી ગટરના પાણી મુખ્ય રસ્તા પર વહી રહ્યા છે,ત્યારે હવે નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરીને ઉભરાતા ગટરના પાણીને વહેતા બંધ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.   
આ અંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરમાં અન્ય વિસ્તારમાંથી પણ પાણી આવી રહ્યા છે અને તેનો પ્રવાહ વધારે છે.તેથી પ્રથમ તો અન્ય વિસ્તારમાંથી આવતો ભૂગર્ભ પાણીનો પ્રવાહ ડાયવર્ટ કરવામાં આવ્યો છે,અને વહેલી તકે કસક સર્કલ પાસે ગટરના ઉભરાતા પાણી બંધ થઇ જશે અને સમસ્યા માંથી શહેરીજનોને રાહત મળશે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.  
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.