આક્ષેપ..! : ભરૂચના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે રોડના સમારકામમાં ભ્રષ્ટાચાર : દિલીપ વસાવા

ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી યોગ્ય તપાસની માંગ કરી છે.

New Update
  • નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે ચાલતું રસ્તાનું સમારકામ

  • રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ

  • ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાના આક્ષેપ

  • રસ્તાની હલકી ગુણવત્તાવાળી કામગીરી : દિલીપ વસાવા

  • જિલ્લા કલેક્ટરને પત્ર લખી તપાસ કરવાની માંગ કરાય

ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી યોગ્ય તપાસની માંગ કરી છે.

હાલ ભરૂચ જીલ્લાના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામનું જે તે એજેન્સી દ્વારા સાઈન બોર્ડ માર્યા વગર પ્લાન એસ્ટીમેટ મુજબ નહીંપરંતુ હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરી ગુણવત્તા જાળવ્યા વિનાનું તકલાદી કામ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે. રસ્તામાં વપરાતી ક્વોરી મટીરીયલ ખૂબ જ હલકી ગુણવત્તાવાળું છેજેના કારણે આ રસ્તો ટકાઉ નહીં બને અને ટૂંકાગાળામાં જ ખરાબ થઇ જવાની શક્યતા જણાઈ આવે છે.

સ્થાનિક સરકારી અધિકારી તથા કોન્ટ્રક્ટર સાથેના મેળાપીપણામાં સરકારી નાણાંનો દુર્વ્યય જણાય આવવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા પંચાયત સભ્ય દિલીપ વસાવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લકયો છે. જેમાં રસ્તાના કામમાં ગેરરીતી મામલે અગાઉ પણ તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યુ છે. જોકેઆ રસ્તો સારી ગુણવત્તાવાળા મટીરીયલકથી બનાવવામાં આવે તો મજબૂત અને ટકાઉ બને તેમજ સરકારી નાણાનો દુર્વ્યય થતો અટકેજેથી આ રસ્તાની કામગીરીની તપાસ કરી પ્રજા અને રાજ્યના હિતમાં પગલા ભરવાની માંગ સાથે દિલીપ વસાવાએ રજૂઆત કરી છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.