આક્ષેપ..! : ભરૂચના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે રોડના સમારકામમાં ભ્રષ્ટાચાર : દિલીપ વસાવા

ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી યોગ્ય તપાસની માંગ કરી છે.

New Update
  • નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે ચાલતું રસ્તાનું સમારકામ

  • રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ

  • ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાના આક્ષેપ

  • રસ્તાની હલકી ગુણવત્તાવાળી કામગીરી : દિલીપ વસાવા

  • જિલ્લા કલેક્ટરને પત્ર લખી તપાસ કરવાની માંગ કરાય

ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી યોગ્ય તપાસની માંગ કરી છે.

હાલ ભરૂચ જીલ્લાના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામનું જે તે એજેન્સી દ્વારા સાઈન બોર્ડ માર્યા વગર પ્લાન એસ્ટીમેટ મુજબ નહીંપરંતુ હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરી ગુણવત્તા જાળવ્યા વિનાનું તકલાદી કામ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે. રસ્તામાં વપરાતી ક્વોરી મટીરીયલ ખૂબ જ હલકી ગુણવત્તાવાળું છેજેના કારણે આ રસ્તો ટકાઉ નહીં બને અને ટૂંકાગાળામાં જ ખરાબ થઇ જવાની શક્યતા જણાઈ આવે છે.

સ્થાનિક સરકારી અધિકારી તથા કોન્ટ્રક્ટર સાથેના મેળાપીપણામાં સરકારી નાણાંનો દુર્વ્યય જણાય આવવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા પંચાયત સભ્ય દિલીપ વસાવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લકયો છે. જેમાં રસ્તાના કામમાં ગેરરીતી મામલે અગાઉ પણ તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યુ છે. જોકેઆ રસ્તો સારી ગુણવત્તાવાળા મટીરીયલકથી બનાવવામાં આવે તો મજબૂત અને ટકાઉ બને તેમજ સરકારી નાણાનો દુર્વ્યય થતો અટકેજેથી આ રસ્તાની કામગીરીની તપાસ કરી પ્રજા અને રાજ્યના હિતમાં પગલા ભરવાની માંગ સાથે દિલીપ વસાવાએ રજૂઆત કરી છે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે