અંકલેશ્વર: કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા 3 આરોપીઓની ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રૂપિયા 7 લાખથી વધુની  કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ મામલામાં પોલીસે  રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • અંકલેશ્વરમાંથી ફરીએકવાર ડ્રગ્સ ઝડપાયું

  • કારમાં ડ્રગ્સની કરાતી હતી હેરાફેરી

  • રૂ.7 લાખના MD ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ

  • રૂ.11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • ઝીપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી વેચતા હોવાનું બહાર આવ્યું

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રૂપિયા 7 લાખથી વધુની  કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ મામલામાં પોલીસે  રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાંથી ફરી એકવાર નશાના કાળાકારોબારનો પર્દાફાશ થયો છે.અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું છે .અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ નેશનલ હાઇવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી ઇકો કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ડ્રગનો રૂપિયા 7 લાખની કિંમતનો 70.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
આ મામલામાં પોલીસે ઝઘડિયાના રાજપાડીના રહેવાસી  ઇમ્તિયાઝ ઇબ્રાહીમ શેખ, મહંમદ જુબેર મહેબુબખાન ખોખર અને સુમીત વસાવાની ધરપકડ કરી છે.આરોપીઓ ડ્રગ્સ ઝીપલોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ રૂપિયા 11.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.