-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
રેવા મેરેથોન 2.0નું આયોજન
-
એક પેડ માં કે નામની થીમ પર મેરેથોન યોજાય
-
3 હજારથી વધુ દોડવીરો જોડાયા
-
આગેવાનોએ મેરેથોનનું કરાવ્યું પ્રસ્થાન
ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ,અંકલેશ્વર બાઈસીકલ ક્લબ અને રનર્સ ક્લબ સહીતના ક્લબો દ્વારા રન ફોર નર્મદા મૈયા અને એક પેડ માં કે નામ અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ સાથે રવિવારના રોજ રેવા મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલીતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી આયોજક મહંમદ જારડીવાલા, કિરણ મોદી સી.આઈ.એસ.એફ.ના કમાન્ડન્ટ કૃતિકા નેગી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આઇકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 3- 5 -16 અને 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ મા કે નામ અભિયાનની થીમ પર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર સ્પર્ધકોની માતાના નામ પર સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવશે.