અંકલેશ્વર:ફૂલ ગુલાબી ઠંડીમાં 3 હજાર દોડવીરો રેવા મેરેથોન 2.0માં જોડાયા

ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • રેવા મેરેથોન 2.0નું આયોજન

  • એક પેડ માં કે નામની થીમ પર મેરેથોન યોજાય

  • 3 હજારથી વધુ દોડવીરો જોડાયા

  • આગેવાનોએ મેરેથોનનું કરાવ્યું પ્રસ્થાન

ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો

ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ,અંકલેશ્વર બાઈસીકલ ક્લબ અને રનર્સ ક્લબ સહીતના ક્લબો દ્વારા રન ફોર નર્મદા મૈયા અને એક પેડ માં કે નામ અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ સાથે રવિવારના રોજ રેવા મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલીતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી આયોજક મહંમદ જારડીવાલા, કિરણ મોદી સી.આઈ.એસ.એફ.ના કમાન્ડન્ટ કૃતિકા નેગી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આઇકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 3- 5 -16 અને 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ મા કે નામ અભિયાનની થીમ પર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર સ્પર્ધકોની માતાના નામ પર સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવશે.

Read the Next Article

અંકલેશ્વર : મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા તાજીયા કમિટીનું પાલિકા તંત્રને આવેદન...

અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી

New Update
Tajiya Commitee

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તાજીયા કમિટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિતચેરમેન નિલેશ પટેલચીફ ઓફિસર કેશવ કોલડિયાને આવનાર તહેવાર મોહર્રમમાં તાજીયાના જુલુસના રૂટ પર સાફ-સફાઈસ્ટ્રીટ લાઈટરસ્તાઓનું કાર્પેટિંગસંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઈટ લગાવવા તથા દક્ષિણ ગુજરાત વીજકંપનીના કાર્યપાલક ઈજનેરને તાજીયા રૂટ પર આવતા જીઈબીના વાયરો ઊંચા કરવાડીપી સપ્લાય પર માણસો મુકવા તથા સઘન ચેકીંગ માટે એક ટીમ રાખવા જેવા વિવિધ કામોને અનુલક્ષીને આવેદન પત્ર પાઠવાયું હતું.

તાજીયા કમિટીના સેક્રેટરી વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કેશહેરમાં 19 મુખ્ય તાજીયા બનશેઅને તા. 05 જુલાઈના રોજ કતલની રાત ગણાતી હોય જેથી શહેરના મુખ્ય માર્ગો પર ધાર્મિક વિધિ પ્રમાણે ઝૂલૂસ નીકળશેજ્યારે તા. 06 જુલાઈના રોજ બપોરથી તાજીયા પોતપોતાના રૂટ પર નીકળશે. જે અંકલેશ્વરના પિરામણ નાકા ખાતે ધાર્મિક રીતિ રિવાજો મુજબ સંપન્ન કરાશેઅને બીજે દિવસે નર્મદા નદીના દક્ષિણ છેડે એમનું વિશર્જન કરવામાં આવશે. જે પ્રસંગે તાજીયા કમિટી પ્રમુખ બક્કો પટેલસેક્રેટરી વસીમ ફડવાલાઉપપ્રમુખ નુરુ કુરેશીકૌસર કુરેશીઅમન પઠાણઈમ્તિયાઝ ઘોણીયાસાકીર મલેકસમીર પઠાણનફીસ મંડપવાલાસિકંદર કડીવાલા હાજર રહ્યા હતા.