અંકલેશ્વર: અવસર એન્ટરપ્રાઇઝમાંથી ડ્રગ્સ ઝડપાવા મામલે 4 આરોપીનો GIDC પોલીસે કબ્જો મેળવ્યો

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસે અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં રેડ કરી હતી.કંપનીમાં સર્ચ દરમિયાન ૧૪૧ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું..

New Update
  • અંકલેશ્વરમાંથી ઝડપાયું હતું ડ્રગ્સ

  • અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાં ડ્રગસ બનવાતું હતું

  • સુરત અને ભરૂચ પોલીસે હાથ ધર્યું હતું ઓપરેશન

  • 4 આરોપીની સુરત પોલીસે કરી હતી ધરપકડ

  • જીઆઇડીસી પોલીસે આરોપીઓનો કબ્જો મેળવ્યો

અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં જીઆઇડીસી પોલીસે ચાર આરોપીઓનો સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે
સુરત પોલીસ દ્વારા ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા કાર નંબર GJ 16 DK 3299માં ડ્રગ્સનો જથ્થો લઈને સુરત જઈ રહ્યા હતા ત્યારે વેલંજા નજીક કારને ઝડપી પાડવામાં આવી હતી. આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કરી કાયદેસરની કાર્યવાહી ધરી હતી.
પૂછપરછમાં એમડી ડ્રગ્સ અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાં સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતા વિશાલ પટેલે વેચવા આપ્યું હોવાની કબૂલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસે અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં રેડ કરી હતી.કંપનીમાં સર્ચ દરમિયાન ૧૪૧ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું..
જયારે 400 કિલો ઉપરાંત શંકાસ્પદ એમડી ડ્રગનું રો મટીરીયલ મળ્યું હતું જે સીઝ કરી તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલવામાં આવ્યુ હતું. આ મામલામાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આરોપી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ,વિપુલ પટેલ અને પલક પટેલનો સુરત પોલીસ પાસે ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગમાં કોટવાળીયા સમુદાય માટે તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન, ગૌતમ અદાણીના જન્મ દિવસની અનોખી ઉજવણી

અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામ ખાતે કોટવાળીયા સમુદાયની પરંપરાગત વાંસકળાને પ્રોત્સાહન આપતા તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

New Update
Adani Foundation
દરવર્ષે અદાણી સમૂહના સ્થાપક ગૌતમ અદાણીના જન્મદિવસને અદાણી ડે તરીકે ઉજવવામાં આવે છે. અદાણી સમૂહના કર્મચારીઓ આ દિવસને સેવા માટે સમર્પિત કરતાં હોય છે. અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામ ખાતે કોટવાળીયા સમુદાયની પરંપરાગત વાંસકળાને પ્રોત્સાહન આપતા તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

Kotwali community

જેમાં આદિવાસી કોટવાળીયા સમુદાયના આગેવાનો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં આદિજાતિ રિસર્ચ & ટ્રેનિંગ-ગાધીનગરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  ડૉ.સી.સી.ચૌધરી, તાલુકા પંચાયત નેત્રંગના પ્રમુખ  વસુદાબેન વસાવા, નેત્રંગ પીઆઈ રણજીતસિંહ વસાવા, અદાણી પોર્ટ-દહેજના મરીન હેડ કેપ્ટન ગિરીશચંદ્ર, સિક્યુરિટી હેડ, મોજા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ચંદુભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. 
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા વર્ષ ૨૦૨૨ બાદ કરાયેલા વિવિધ કાર્યોની વિગત દર્શાવતી પુસ્તિકાનું વિમોચન દહેજ સાઇટના સંયોજક યોગેશ મેઘપરા દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સરકારી યોજના માટે ઉપયોગી કોટવાળીયા સમુદાયના ૧૪૦ લાભાર્થીઓના આર્ટીઝન કાર્ડનું વિતરણ પણ કરાયુ હતું. કોટવાળીયા સમુદાય માટે બનેલા વિશેષ તાલીમ કેન્દ્રના દસ્તાવેજને ગ્રામ પંચાયતને સુપરત કરવામાં આવ્યા હતા.