અંકલેશ્વર: માર્ગના નવીનીકરણનીં કામગીરીમાં નડતરરૂપ 4 ધાર્મિક સ્થાનો હટાવાયા, ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો

અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં હાથ ધરાય કામગીરી

  • માર્ગના નવીનીકરણની કામગીરી

  • મુખ્ય માર્ગને અડીને આવેલ ધાર્મિક સ્થાનો હટાવાયા

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

  • કોઈ અનિરછનીય બનાવ ન નોંધાયો

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ માર્ગના નવીનીકરણની કામગીરીમાં અડચણરૂપ ચાર ધાર્મિક સ્થાનકો હટાવવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવવા ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો
અંકલેશ્વરમાં મુખ્યમાર્ગને નડતરરૂપ ૪ ધાર્મિક સ્થળ હટાવાયા છે. અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા હતા. આ સ્થળોમાં સુરવાડી બ્રિજથી ચૌટાનાકાને જોડતા રોડ પર આવેલ ત્રણ કબર તેમજ સારંગપુરના મીરાનગરમાં આવેલ એક મંદિર હટાવવામાં આવ્યુ હતું.
ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. મીરાનગર ખાતેથી હટાવવામાં આવેલ રામદેવપીરના મંદિરની મૂર્તિઓનું અન્ય મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું હતું.
Read the Next Article

અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાંથી 2 દિવસમાં 15 રખડતા ઢોર પકડાયા, તંત્રની ઝુંબેશ યથાવત

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્રની ઝુંબેશ
રસ્તે રખડતા ઢોર પકડવા કાર્યવાહી
બે દિવસમાં 15 ઢોર પકડાયા
ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી
ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશમાં છેલ્લા 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા. નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક, ગટટુ વિદ્યાલય સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રખડતા  ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે તો સાથે જ ઢોરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.