અંકલેશ્વર: માર્ગના નવીનીકરણનીં કામગીરીમાં નડતરરૂપ 4 ધાર્મિક સ્થાનો હટાવાયા, ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો

અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં હાથ ધરાય કામગીરી

  • માર્ગના નવીનીકરણની કામગીરી

  • મુખ્ય માર્ગને અડીને આવેલ ધાર્મિક સ્થાનો હટાવાયા

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

  • કોઈ અનિરછનીય બનાવ ન નોંધાયો

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ માર્ગના નવીનીકરણની કામગીરીમાં અડચણરૂપ ચાર ધાર્મિક સ્થાનકો હટાવવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવવા ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો
અંકલેશ્વરમાં મુખ્યમાર્ગને નડતરરૂપ ૪ ધાર્મિક સ્થળ હટાવાયા છે. અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા હતા. આ સ્થળોમાં સુરવાડી બ્રિજથી ચૌટાનાકાને જોડતા રોડ પર આવેલ ત્રણ કબર તેમજ સારંગપુરના મીરાનગરમાં આવેલ એક મંદિર હટાવવામાં આવ્યુ હતું.
ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. મીરાનગર ખાતેથી હટાવવામાં આવેલ રામદેવપીરના મંદિરની મૂર્તિઓનું અન્ય મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.