અંકલેશ્વર: માર્ગના નવીનીકરણનીં કામગીરીમાં નડતરરૂપ 4 ધાર્મિક સ્થાનો હટાવાયા, ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો

અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં હાથ ધરાય કામગીરી

  • માર્ગના નવીનીકરણની કામગીરી

  • મુખ્ય માર્ગને અડીને આવેલ ધાર્મિક સ્થાનો હટાવાયા

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

  • કોઈ અનિરછનીય બનાવ ન નોંધાયો

Advertisment
અંકલેશ્વરમાં મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ માર્ગના નવીનીકરણની કામગીરીમાં અડચણરૂપ ચાર ધાર્મિક સ્થાનકો હટાવવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવવા ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો
અંકલેશ્વરમાં મુખ્યમાર્ગને નડતરરૂપ ૪ ધાર્મિક સ્થળ હટાવાયા છે. અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા હતા. આ સ્થળોમાં સુરવાડી બ્રિજથી ચૌટાનાકાને જોડતા રોડ પર આવેલ ત્રણ કબર તેમજ સારંગપુરના મીરાનગરમાં આવેલ એક મંદિર હટાવવામાં આવ્યુ હતું.
ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. મીરાનગર ખાતેથી હટાવવામાં આવેલ રામદેવપીરના મંદિરની મૂર્તિઓનું અન્ય મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું હતું.
Advertisment
Read the Next Article

ભરૂચ : મહાન વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે ભાજપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય…

પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભારતની મહાન વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોલકર

  • અહલ્યાબાઈની 300મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરભરમાં ભવ્ય શોભાયાત્રા

  • ભાજપના આગેવાનો સહિતના હોદ્દેદારો-કાર્યકરોની હાજરી

Advertisment

પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતની મહાન વીરાંગના મહારાણી અહિલ્યાબાઈનો જન્મ 31 મે1725ના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લાના ચૌંડી ગામમાં થયો હતોત્યારે આજરોજ તેમની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શોભાયાત્રા શહેરના પવિત્ર શક્તિનાથ મહાદેવ મંદિરથી આરંભ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી યોજાય હતી. સમગ્ર યાત્રામાર્ગ પર જનસમુદાયે શોભાયત્રાને ઉત્સાહભેર આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીધારાસભ્ય રમેશ મિસ્ત્રીજિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવશહેર પ્રમુખ જતીન શાહવિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment