અંકલેશ્વર: વરસાદી માહોલ વચ્ચે  હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી 

New Update
  • અંકલેશ્વરમાં ફરી એકવાર ટ્રાફિકજામ

  • નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ

  • 5 કી.મી.સુધી વાહનોની કતાર

  • અનેક વાહનચાલકો અટવાયા

  • બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી 
ભરુચ જીલ્લામાં વરસાદ ખાબકતાં જિલ્લામાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક નાળુ સાંકડુ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી રહી છે ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.
Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોની બોલવા-સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિર યોજાય

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા આયોજન

  • બાળકોની પરીક્ષણ શિબિર યોજાય

  • બોલવા-સાંભળવાની ક્ષમતા અંગેનું પરીક્ષણ

  • શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરની  સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોની બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓમકાર સ્પીચ ક્લીનિકના ડોક્ટર દેવાંગી પટેલે સેવા આપી હતીમ પ્રજ્ઞા કાઉન્સિલિંગ સેન્ટર ખાતે આયોજિત શિબિરમાં બાળકોની બોલવા અને સાંભળવાની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઘણા બાળકોને નાનપણથી જ બોલવા અને સાંભળવાની તકલીફ હોય છે જે અંગેનું પરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન વાલીઓને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓમકાર ગ્રુપના હસમુખભાઈ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી નિલેશભાઈ પટેલ, અલ્કેશભાઇ, ભાવિશાબહેન અને ભુપતભાઈ સહિતના આગેવાનો તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories