અંકલેશ્વર: સબજેલમાંથી 5 મોબાઈલ મળી આવ્યા, SOGના સરપ્રાઈઝ ચેકીંગમાં ભાંડો ફૂટ્યો

અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાંથી પાંચ મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા આ ભાંડો ફૂટયો હતો

New Update

અંકલેશ્વરમાં આવેલી છે તાલુકા સબજેલ

Advertisment

સબજેલમાંથી મળ્યા 5 મોબાઈલ

રૂ.40 હજારની કિંમતના 5 મોબાઈલ મળી આવ્યા

એસ.ઓ.જી.ના સરપ્રાઈઝ ચેકીંગમાં ફૂટયો ભાંડો

એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો ગુનો

અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાંથી પાંચ મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા આ ભાંડો ફૂટયો હતો

ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને પાંચ જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા છે.પોલીસે ચેકીંગ દરમ્યાન જેલર વિપુલ સોરઠીયાની ઓફિસની પહેલા આવેલ રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની  તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોઅરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.પોલીસે રૂ.40 હજારની કિંમતના કુલ 5 મોબાઈલ કબ્જે કર્યા હતા.પોલીસે આ મામલામાં એન.ડી.પી.એસ.એકટના ગુનામાં સંડોવાયેલ  ચિંતન  પાનસુરીયા, અપહરણના ગુનામાં સંડોવાયેલ ભૌતિક  લુણગરીયા,વિપુલ  ભાદાણી, દીપ  પટેલ અને  ચિરાગ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અપહરણ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પાસે મોબાઇલ ક્યાંથી આવ્યા તે એક તપાસનો વિષય છે ત્યારે આ મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે

Advertisment
Read the Next Article

ભરૂચ: GMDCના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ, BTS દ્વારા વિશાળ રેલી નિકળી

ભરૂચના વાલીયા ઝઘડિયા તાલુકામાં જીએમડીસીના સૂચિત લીગ્નાઈટ પ્રોજેક્ટના વિરોધમાં ભીલિસતાન વિકાસ મોરચા દ્વારા આજરોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

New Update
  • ભરૂચના વાલિયામાં વિરોધ પ્રદર્શન

  • GMDCના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ

  • ભીલિસતાન ટાઇગર સેના દ્વારા વિરોધ નોંધાવાયો

  • વિશાળ રેલીનું કરાયુ આયોજન

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

Advertisment
ભરૂચના વાલીયા ઝઘડિયા તાલુકામાં જીએમડીસીના સૂચિત લીગ્નાઈટ પ્રોજેક્ટના વિરોધમાં ભીલિસતાન વિકાસ મોરચા દ્વારા આજરોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા
ભરૂચના વાલીયા અને ઝઘડિયા સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ દિવસને દિવસે ઘેરો બનતો જઈ રહ્યો છે અગાઉ વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગેનો ઠરાવ કરાયા બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવાયો હતો ત્યારે આજરોજ ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસથી નીકળી વાલીયા ગામના ચાર રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી.
જેમાં પૂર્વ ધારાસભ્ય અને ભીલિસતાન વિકાસ મોરચાના અધ્યક્ષ મહેશ વસાવા, આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા, રાજ વસાવા, ઉત્તમ વસાવા કોકીલાબહેન તડવી, વિજય વસાવા અને કિરીટ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા આગેવાનોએ જીએમડીસીના આ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોજેક્ટ માટે જમીન ન આપવાનો હુંકાર કર્યો હતો. લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો છે
Advertisment