અંકલેશ્વર: શ્વાન દ્વારા કરાયેલ હુમલામાં ઘાયલ વાછરડાનો કરુણા એનિમલ એમબ્યુલન્સની ટીમે સારવાર કરી જીવ બચાવ્યો

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ગાયના વાછરડા પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવતા તે ઇજાગ્રસ્ત થયું હતું.

New Update
0

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ગાયના વાછરડા પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવતા તે ઇજાગ્રસ્ત થયું હતું.

ત્રણ શ્વાનોએ વાછરડા પર હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું અને કણસતી હાલતમાં માર્ગ પર પડ્યું હતું.આ દ્રશ્ય અહીંથી પસાર થતા જાગૃત નાગરિક અમનકુમારે જોતા તેઓ દ્વારા કરુણા એનિમલ એમબ્યુલન્સને જાણ કરવામાં આવી હતી જેના પગલે સાર્થક ફાઉન્ડેશનના ઉપદેશ પિત્રોડા અને કરુણા એમબ્યુલન્સના ડો.તોલાકુમાર દ્વારા ઘાયલ વાછરડાને સારવાર આપી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો.