અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે રૂ.3 લાખની કિંમતના ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે ટેમ્પો ચાલકની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.

New Update

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો

રૂ.3 લાખની કિંમતનો ભંગારનો જથ્થો ઝડપાયો

ટેમ્પા ચાલકની ધરપકડ

ટેમ્પો સહિત રૂ.8 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન એક ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી સળિયા અને લોખંડની એંગોલો મળી આવી હતી. પોલીસે ભંગાર અંગે ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 9090 કિલો ભંગાર કબજે કર્યો હતો અને 3.18 લાખનો ભંગાર અને 5 લાખનો આયસર ટેમ્પો મળી કુલ 8.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અમદાવાદના કૂજાડ ભાવડા પાટિયા પાસે રાઇસ મિલ નજીક રહેતો નરેશ રમેશ સલાટની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.