અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે રૂ.3 લાખની કિંમતના ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે ટેમ્પો ચાલકની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.

New Update

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો

રૂ.3 લાખની કિંમતનો ભંગારનો જથ્થો ઝડપાયો

ટેમ્પા ચાલકની ધરપકડ

ટેમ્પો સહિત રૂ.8 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન એક ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી સળિયા અને લોખંડની એંગોલો મળી આવી હતી. પોલીસે ભંગાર અંગે ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 9090 કિલો ભંગાર કબજે કર્યો હતો અને 3.18 લાખનો ભંગાર અને 5 લાખનો આયસર ટેમ્પો મળી કુલ 8.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અમદાવાદના કૂજાડ ભાવડા પાટિયા પાસે રાઇસ મિલ નજીક રહેતો નરેશ રમેશ સલાટની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.