અંકલેશ્વર: તહેવારોમાં ચોરી-ચિલઝડપના બનાવો અટકાવવા બેન્ક મેનજરોની પોલીસ સાથે બેઠક યોજાય !

નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે બેઠક યોજાઇ હતી

New Update

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે મળી બેઠક

ચોરી અને ચિલઝડપના બનાવો અટકાવવા કવાયત

વિવિધ બેંકના મેનેજરો રહ્યા હાજર

તકેદારી રાખવા પોલીસ દ્વારા સૂચના અપાય

તહેવારોના સમયમાં વધતા હોય છે નાંણાકીય વ્યવહાર

નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે બેઠક યોજાઇ હતી

આગામી સમયમાં નવરાત્રિ અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે બેંકમાં નાણાકીય વ્યવહારો વધતા હોય છે. મોટી સંખ્યામાં લોકો ટ્રાન્જેક્શન કરતા હોય છે ત્યારે ચોરી અને ચીલઝડપના બનાવો પણ બને છે. આવા બનાવો બનતા અટકાવવા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં બેંકના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં તહેવારો દરમિયાન ભીડભાડ સમયે રાખવાની તકેદારી અંગે બેંકના કર્મચારીઓ અને સત્તાધીશોને સૂચના આપવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ બેંકના મેનેજર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પોલીસે વિવિધ જ્વેલરી શોપના માલિકો સાથે પણ બેઠક કરી હતી અને જ્વેલરી શોપમાં સીસીટીવી લગાવવા સૂચના આપી હતી

Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.