અંકલેશ્વર: સંજાલી ગામે દોઢ વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક  ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું.

New Update
  • અંકલેશ્વરના સંજાલીમાં દોઢ વર્ષીય બાળકનું કરાયું રેસ્ક્યુ

  • બિલ્ડિંગના ચોથા મળે બાળક ઘરમાં થઈ ગયું હતું લોક

  • પાનોલી ફાયર બ્રિગેડ દ્વારા બાળકનું કરાયું રેસ્ક્યુ 

  • રેસ્ક્યુ ટીમે તેરસ પરથી ઉતરીને બારીમાંથી ઘરમાં કર્યો પ્રવેશ 

  • ફાયર બ્રિગેડના જવાનોએ બાળકને હેમખેમ કાઢ્યો બહાર 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક  ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા પરિવારનો એક દોઢ વર્ષીય બાળક ઘરમાં અંદરથી લોક થઈ ગયો હતો.અને  ઘરમાં રડતા બાળકને હવે હેમખેમ બહાર કાઢવો પણ પરિવાર માટે પડકાર જનક બની ગયું હતું,જોકે આ અંગેની જાણ પાનોલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ બિલ્ડીંગના ટેરેસ પરથી મકાનની ગેલેરીમાં ઉતરીને સફળતા પૂર્વક બારીમાંથી ઘરમાં પ્રવેશ કરીને બાળકનું રેસ્ક્યુ કર્યું હતું.
ઘરના દરવાજા પાસેથી બાળક દૂર ન ખસતા દરવાજો તોડવામાં આવે તો બાળકને ઇજા પહોંચવાનો ભય હતો,તેથી ફાયર બ્રિગેડના જવાનોએ ઘરની બારીમાંથી બાળકનું રેસ્ક્યુ કર્યું હતું,અને બાળકને હેમખેમ ઘરમાંથી બહાર કાઢવામાં આવતા ફાયર બ્રિગેડની કામગીરીની સૌ કોઈએ પ્રસંશા કરી હતી.   
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.