અંકલેશ્વર: સારંગપુર વિસ્તારમાં લાકડાનું ગોડાઉન ભડકે બળ્યું, સ્થાનિકોએ જ આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના સારંગપુર પાટિયા

New Update
fire ank

અંકલેશ્વરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે બાપુનગર વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં અચાનક જ આગ ફાટી નીકળતી હતી. 

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આ દ્રશ્યો જોતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તેઓએ જાતે જ પાણીનો મારો ચલાવી પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ નેશનલ હાઇવે નંબર 48ને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં પણ આગ ફાટી નીકળી હતી ત્યારે અંકલેશ્વરમાં ઉનાળામાં  આગ લાગવાના બનાવોમાં ચિંતાજનક રીતે  વધારો થયો છે.

Advertisment
Latest Stories