અંકલેશ્વર: યુવાનને નર્મદા નદીના પટમાં કાર લઈ જવું મોંઘુ પડ્યું, ભરતીના પાણી આવી જતા કાર ફસાઈ ગઈ !

અંકલેશ્વર તરફના કિનારે નર્મદા નદીના પટમાં એક કાર ફસાઇ હોવાની ઘટના સામે આવી છે. નદીના પટમાં પાણીનું સ્તર વધતાં કાર ફસાઇ ગઇ હતી. એક કારચાલક નર્મદા નદીના પટમાં કાર

New Update
MixCollage-30-Mar-2025-09-35-PM-4710

અંકલેશ્વર તરફના કિનારે નર્મદા નદીના પટમાં એક કાર ફસાઇ હોવાની ઘટના સામે આવી છે. નદીના પટમાં પાણીનું સ્તર વધતાં કાર ફસાઇ ગઇ હતી. 

એક કારચાલક નર્મદા નદીના પટમાં કાર લઇ ગયો હતો ત્યારે જ અચાનક જ જળસ્તર વધતાં મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો.
નર્મદા નદી પરના ગોલ્ડન બ્રીજ નીચે અંક્લેશ્વર તરફના કિનારે પાણીમાં કાર ઉતારવામાં આવી હતી. યુવાને ફિલ્મી દૃશ્યપના અનુકરણમાં કાર નદીમાં ઉતારી હતી પણ અહીંની કિનારાની કાંપવાળી જમીનમાં કારના પૈડાં ખુંપી ગયા હતા. કારને કીચડમાંથી બહારકાઢવામાં આવે તે પહેલા ભરતીની શરૂઆત થઇ હતી.નર્મદામાં ભરતીના પાણી ચઢવાનું શરૂ થઇ જતાં કાર પાણીમાં તણાય તેવો ભય ઉભો થયો હતો.જોતજોતામાં ભરતીમાં પાણી ભરાઇ ગયા હતા અને કાર પાણી વચ્ચે જ ફસાઈ ગઈ હતી.કારચાલક કિનારે પહોંચી ગયો હતો.પાણી ઓસર્યા બાદ મહામહેનતે કારને બહાર કાઢવામાં આવી હતી.
Read the Next Article

અંકલેશ્વર: દાઢલ ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં ડૂબી જતાં મોત, થોડા સમય પૂર્વે પાણીમાંથી અંતિમ યાત્રા લઇ જવી પડી હતી

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો સમયે અચાનક તે ઊંડા પાણીમાં

New Update
cssss

અંકલેશ્વરના સાગબારા ફાટકથી દઢાલ ગામ વચ્ચે અમરાવતી ખાડીમાંથી પસાર થતા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો.તે સમયે અચાનક તે ઊંડા પાણીમાં ગરક થતા તે ડૂબી ગયો હતો.આ અંગેની જાણ ગ્રામજનો થતા તેઓએ તેની ખાડી શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે વારંવાર તંત્રમાં આ સ્થળે નાળા સાથે માર્ગ બનાવવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી છે.સાથે ટેન્ડર પણ પાસ થઈ ગયું છે પરંતુ આગળની કામગીરી ક્યાં અટવાઈ છે.તેવો કચવાટ ગ્રામજનોમાં ચાલી રહ્યો છે.