New Update
-
અંકલેશ્વર નજીક સર્જાયો અકસ્માત
-
નેશનલ હાઇવે પર અક્ષમતાનો બનાવ
-
કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
-
કારમાં સવાર પરિવારનો બચાવ
-
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલીયા ચોકડીના ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. નેશનલ હાઇવે પર આવેલ વાલિયા ચોકડી પરના ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતના બનાવમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો ટ્રકની ટક્કરના કારણે કારમાં વ્યાપક નુકસાન થયું હતું બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ અંગે તપાસ શરૂ કરી છે આ તરફ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા