અંકલેશ્વર : ખરાબ રોડ-રસ્તાના મુદ્દે કોર્ટના દ્વારા ખટખટાવતા એડવોકેટ સજ્જાદ કાદરી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં વરસાદની મોસમમાં તમામ જાહેર માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે, ત્યારે ખરાબ રોડ-રસ્તાના મુદ્દે જાણીતા એડવોકેટ સજ્જાદ કાદરીએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં વરસાદની મોસમમાં તમામ જાહેર માર્ગો અત્યંત બિસ્માર બન્યા છેત્યારે ખરાબ રોડ-રસ્તાના મુદ્દે જાણીતા એડવોકેટ સજ્જાદ કાદરીએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. રોડસ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રિ-પ્રેન્ટેટીવ સ્યુટ દાખલ કરવામાં આવી છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસાદી મોસમની શરૂઆત થતાંની સાથે જ તમામ રોડ-રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છેઅને દિનપ્રતિદિન બિસ્માર બનતા માર્ગના પરિણામે ટ્રાફિકજામની સમસ્યા તેમજ વાહનોમાં નુકશાન થવાની ઘટનાઓ બની રહી છે. અંકલેશ્વરમાં પણ તમામ મુખ્ય રસ્તાઓ બિસ્માર બન્યા છે. જે ઉબડ-ખાબડ રસ્તાઓથી વહીવટી તંત્ર પણ અજાણ નથી. અત્યંત બિસ્માર રોડ-રસ્તાના મુદ્દે અપક્ષ-વિપક્ષ સહિત અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફબિસ્માર માર્ગથી અનેક વાહનચાલકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે.

જોકેતંત્રના બહેરા કાને લોકોની વેદનાનો અવાજ સંભળાય તે માટે અંકલેશ્વરના પૂર્વ જોઈન્ટ ડિસ્ટ્રીક્ટ જજ અને એડવોકેટ સજ્જાદ કાદરી દ્વારા અંકલેશ્વર કોર્ટમાં ખરાબ રોડ-રસ્તાના મુદ્દે અરજી દાખલ કરવામાં આવી છે. એડવોકેટ કાદરીએ રાજ્યના રોડસ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રિ-પ્રેન્ટેટીવ સ્યુટ દાખલ કરી છેઅને કોર્ટ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે નોટિસ જારી કરવામાં આવે તેવી શક્યતા વર્તાય રહી છે. આ ઉપરાંત એડવોકેટ સજ્જાદ કાદરી દ્વારા ગુજરાત માનવ અધિકાર પંચને પણ બિસ્માર રોડ-રસ્તાઓ બાબતમાં R&B વિભાગ સામે પગલાં ભરવા માટે રજુઆત કરવાની કવાયત હાથ ધયાર છે. વધુમાં એડવોકેટ સજ્જાદ કાદરીએ ભરૂચઝઘડીયાવાગરા સહિત જિલ્લાના તાલુકાઓમાં ખરાબ રોડ-રસ્તા મુદ્દે અરજી દાખલ કરવા માટેની પણ તૈયારી દર્શાવી છે.

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.