અંકલેશ્વર: આવકાર કંપનીમાંથી રૂ.5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં 5 આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન ઝડપાવાના મામલામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

અંકલેશ્વરમાંથી ઝડપાયો ડ્રગ્સનો કારોબાર

રૂ.5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

518 કિલો કોકેઇનનો જથ્થો ઝડપાયો

5 આરોપીઓની ધરપકડ

આરોપીઓને દિલ્હી લઈ જવાશે

અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન ઝડપાવાના મામલામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન ઝડપાવાના મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ દ્વારા કંપનીના ત્રણ ડિરેક્ટરો સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે મોડી રાત્રે કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા, વિજય ભેસાણીયાની ધરપકડની ધરપકડ કરી હતી.આ ઉપરાંત અન્ય 2 કેમિસ્ટ મયુર દેસલે અને અમિત મૈસુરીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. દીલ્હી પોલીસ દ્વારા દિલ્હીમાંથી ઝડપાયેલ ડ્રગ્સના મામલાની તપાસમાં અંકલેશ્વરને આવકાર ફાર્મા કંપનીમાંથી કેટલુક મટીરીયલ મોકલાયું હોવાનું બહાર આવ્યું હતું જેના આધારે ગુજરાત અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જીવન રક્ષક દવાઓની આડમાં ડ્રગ બનાવતી કંપની ઝડપાઈ હતી. રૂપિયા પાંચ હજાર કરોડનું ડ્રગસ ઝડપતા મચી જવા પામ્યો છે.આ મામલામાં અંકલેશ્વરમાં કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.દિલ્હીમાં જે ગુનો નોંધાયો છે એ ગુનામાં જ આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.અંકલેશ્વર કોર્ટમાં ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવ્યા બાદ દિલ્હી લઈ જવામાં આવશે

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.
Latest Stories