અંકલેશ્વર: ઘોર કળિયુગની પરાકાષ્ઠા, માત્ર 10 માસની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ !

અંકલેશ્વરના પાનોલીમાં માત્ર 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે નારાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના પાનોલીનો ચકચારી બનાવ

એક ગામમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ

પાડોશમાં રહેતા નરાધમનું શરમજનક કૃત્ય

વેફર અપાવવાના બહાને બાળકીને લઈ ગયો

પોલીસે નરાધમની કરી ધરપકડ

અંકલેશ્વરના પાનોલીમાં માત્ર 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે નારાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની હતી.બાળકીની પાડોશમાં જ રહેતો 30 વર્ષીય દિપક લાલબાબુ સિંગ બાળકીને વેફર અપાવવાના બહાને લઈ ગયો હતો અને અંધારી જગ્યાએ લઈ જઈ  શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બનાવ અંગે  પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ  ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 10 જ મહિનાની બાળકી સાથે શારીરીક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.