અંકલેશ્વર : કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીમાંથી કારની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

 તસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છે

New Update

ઘરફોડ ચોરીની ઘટનાઓ બાદ હવે કારની પણ ચોરી

કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીમાંથી કારની ચોરી

મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કારને ઉઠાવી તસ્કરો ફરાર

તસ્કરોની તમામ કરતૂત સોસાયટીના CCTVમાં કેદ થઈ

તસ્કરોનું પગેરું મેળવવા માટે GIDC પોલીસની કવાયત

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો ડર રહ્યો ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે.

જેમાં ઘરફોડ ચોરીની અવારનવાર બનતી ઘટનાઓથી પોલીસ પેટ્રોલીંગની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છેત્યારે હવે આખેઆખી કાર ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસારઅંકલેશ્વરના કાપોદ્રા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અંબેવેલી સોસાયટીના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારની ચોરી કરી 2 અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા.

જોકેતસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેતસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છેઅને ત્યાર બાદ કારને હંકારવાનો પ્રયાસ કરતાં એક ક્ષણે કાર મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ભટકાય છેત્યારે હાલ તો અંકલેશ્વર GIDC પોલીસે ફરિયાદ નોંધી કારની ચોરી કરનાર બન્ને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.