અંકલેશ્વર: GIDCમાં કોસમડી નજીક ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર વહ્યુ, સ્થાનિકોને મુશ્કેલી

અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકો સાથે દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં ગંદકીના દ્રશ્યો

  • ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટર ઉભરાય

  • ગંદકીના કારણે વેપારીઓ-સ્થાનિકો પરેશાન

  • નોટીફાઈડ એરિયા ઓથો.સાફ સફાઈ કરાવે એવી માંગ

  • ગંદકીના કારણે ગ્રાહકો આવતા બંધ થયા !

અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકો સાથે દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર છેલ્લા ઘણા સમયથી ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળે છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. શોપિંગ સેન્ટરમાં અનેક દુકાનો આવેલી છે ત્યારે વેપારીઓ પણ દૂષિત પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે દુકાન માલિકના જણાવ્યા અનુસાર દૂષિત પાણી માર્ગ પર વહેતા ગ્રાહકો આવતા નથી જેના કારણે તેમના ધંધા રોજગાર પર પણ અસર પડી રહી છે ત્યારે આ બાબતે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા વહેલી તકે સાફ-સફાઈ કરાવવામાં આવે એવી તેવો દ્વારા માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.