અંકલેશ્વર: GIDCમાં કોસમડી નજીક ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર વહ્યુ, સ્થાનિકોને મુશ્કેલી

અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકો સાથે દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં ગંદકીના દ્રશ્યો

  • ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટર ઉભરાય

  • ગંદકીના કારણે વેપારીઓ-સ્થાનિકો પરેશાન

  • નોટીફાઈડ એરિયા ઓથો.સાફ સફાઈ કરાવે એવી માંગ

  • ગંદકીના કારણે ગ્રાહકો આવતા બંધ થયા !

અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકો સાથે દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર છેલ્લા ઘણા સમયથી ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળે છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. શોપિંગ સેન્ટરમાં અનેક દુકાનો આવેલી છે ત્યારે વેપારીઓ પણ દૂષિત પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે દુકાન માલિકના જણાવ્યા અનુસાર દૂષિત પાણી માર્ગ પર વહેતા ગ્રાહકો આવતા નથી જેના કારણે તેમના ધંધા રોજગાર પર પણ અસર પડી રહી છે ત્યારે આ બાબતે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા વહેલી તકે સાફ-સફાઈ કરાવવામાં આવે એવી તેવો દ્વારા માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે