અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કંપનીઓમાં ચોરી કરતા 2 સગા ભાઈઓની કરી ધરપકડ

એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરની પટેલ નગર રેલ્વે ફાટક પાસેની ઝૂપડ પટ્ટીમાં ફરી રહ્યા છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

  • ચોરી કરનાર આરોપીઓની કરી ધરપકડ

  • અંકલેશ્વરમાંથી 2 સગા ભાઈઓ ઝડપાયા

  • કંપનીઓમાં ચોરીના ગુનાને આપતા હતા અંજામ

  • પટેલ નગર ઝુંપડપટ્ટીમાંથી ઝડપાયા

ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની બે કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે સગાભાઈઓને પટેલ નગર ઝૂપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યા હતા ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરની પટેલ નગર રેલ્વે ફાટક પાસેની ઝૂપડપટ્ટીમાં ફરી રહ્યા છે.
જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શૈલેશ રણજીત રાઠવા તેમજ જીગ્નેશ રણજીત રાઠવાને ઝડપી પાડ્યો હતો જેઓ બંનેની પુછપરછ કરતા તેઓએ ત્રણ મહિના પહેલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ભાવિક મશીનરી અને પ્રિન્સ એન્જીનીયરીંગ કંપનીમાં નેત્રંગ તાલુકાના ઝરણા ફોરેસ્ટ કંપની ખાતે રહેતો દિનેશ ઉર્ફે ધીરુ મગન વસાવા સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ : બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઝારેશ્વર અનુભૂતિધામ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાય…

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ઝાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારીઝ ખાતે કરાયું આયોજન

  • નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • જન્માષ્ટમી પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ હાજરી

  • મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરાયેલ નશામુક્ત ભારત અભિયાનને 5 વર્ષ પૂર્ણ થતા આજરોજ દેશ-વિદેશમાં બ્રહ્માકુમારીઝ દ્વારા લોકોને નશામુક્ત થવા માટેની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે જ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે મટકી ફોડરાસ-ગરબા નૃત્ય નાટક સહિતના વિવિધ કાર્યોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.