New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં ટ્રાફિકજામની સમસ્યા
રહેણાંક વિસ્તારોમાં થાય છે ટ્રાફિકજામ
અનેક વાહનો અટવાય છે
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કરાશે કાર્યવાહી
દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાશે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના નિરાકરણ માટે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવશે
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ખાસ કરીને શનિ અને રવિવારના રોજ ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે.
શનિવારી બજારના કારણે જીઆઇડીસીના મુખ્ય માર્ગો પર વાહનોની કતાર લાગે છે ત્યારે આ અંગેની ફરિયાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળને મળતા ઉદ્યોગ મંડળ દ્વારા આગામી દિવસોમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવશે. શનિવારી બજારમાં તેમજ અન્ય દિવસોમાં પણ મુખ્ય માર્ગને ઉભા કરાયેલા હટાવવામાં આવશે અને માર્ગ ખુલ્લો કરાશે જેનાથી ટ્રાફિક જામની સમસ્યા પર અંકુશ મેળવાશે તેવો આશાવાદ સેવાય રહ્યો છે..