અંકલેશ્વર: GIDCમાં આવેલ જોગર્સ પાર્કનું છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવાની માંગ, તંત્રને પાઠવાયું આવેદનપત્ર

હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા  પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું 

New Update
  • અંકલેશ્વરમાં હિન્દૂ ધર્મ સેના દ્વારા રજુઆત

  • પ્રાંત અધિકારીને કરવામાં આવી રજુઆત

  • જોગર્સ પાર્કનું નામ બદલવા કરાય માંગ

  • સત્તાવાર નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માંગ કરાય

  • આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા  પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું 
અંકલેશ્વર  અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ  દ્વારા અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવી  રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર ગત 4 જાન્યુઆરી 2025 ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા જોગર્સપાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું. જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગર્સપાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું જેને સત્તાવાર હજુ સુધી નોટીફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી.જેને ધ્યાને લઇ નોટીફાઈડ વિભાગ અને તેમજ એ.આઈ.એ દ્વારા સત્તાવાર રીતે જોગર્સપાર્કનું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા હિન્દૂ ધર્મ સેના દ્વારા માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ, માર્ગ અને મકાન વિભાગની 16 ટીમ કામે લાગી

ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની 16 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી....

New Update
Roads and Building Department
ભરૂચ જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના રસ્તાઓ ઉપર ખાડા પડવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તાઓ ખરાબ થયેલા હતા. વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓના દુરસ્તી કામમાં રૂકાવટ આવતી હતી પરંતુ વરસાદના વિરામની સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા રસ્તાઓના મરામતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. 

Roads Repair

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર રોનક શાહના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને અંકલેશ્વરથી રાજપીપલા, રાજપારડી થી નેત્રંગ, ઉમલ્લા અશા- પાણેથા, અંકલેશ્વર વાલીયા નેત્રંગ અને સમની વાગરા,પાલેજ ઈખર સરભાણ,વાગરા ગંધાર દેરોલ વગેરે રોડ ઉપર વેટ મિક્સ અને કોન્ક્રીટ મેટલ પેચવર્ક આરએમસી પ્લાન્ટથી શરૂ કરવામાં આવ્યા છે.

Roads Repairs

રસ્તાઓની દૂરસ્તી કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની ૧૬ ટીમ કાર્યરત કરવામાં આવી છે, જેમાં ૧૮ જેસીબી મશીન, ૧૪ જેટલા રોડ રોલર, ૨ ગ્રેડર ૦૭ ટ્રેક્ટર અને ૩૧ જેટલા ડમ્પર કામે લગાડવામાં આવ્યા છે, આ કામ માટે સુપરવાઇઝર સહિત કુલ ૧૬૩ વ્યક્તિઓની ટીમ રસ્તાઓની દૂરસ્તી માટે કામ કરી રહી છે.