અંકલેશ્વર: GIDCમાં આવેલ જોગર્સ પાર્કનું છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવાની માંગ, તંત્રને પાઠવાયું આવેદનપત્ર

હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા  પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું 

New Update
  • અંકલેશ્વરમાં હિન્દૂ ધર્મ સેના દ્વારા રજુઆત

  • પ્રાંત અધિકારીને કરવામાં આવી રજુઆત

  • જોગર્સ પાર્કનું નામ બદલવા કરાય માંગ

  • સત્તાવાર નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માંગ કરાય

  • આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Advertisment W3.CSS
હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા  પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું 
અંકલેશ્વર  અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ  દ્વારા અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવી  રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર ગત 4 જાન્યુઆરી 2025 ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા જોગર્સપાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું. જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગર્સપાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું જેને સત્તાવાર હજુ સુધી નોટીફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી.જેને ધ્યાને લઇ નોટીફાઈડ વિભાગ અને તેમજ એ.આઈ.એ દ્વારા સત્તાવાર રીતે જોગર્સપાર્કનું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા હિન્દૂ ધર્મ સેના દ્વારા માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર : ઈદ-ઉલ-અઝહા નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી, એકમેકને ઈદની શુભકામનાઓ પાઠવી...

ઈસ્લામ ધર્મના પ્રમુખ તહેવારો પૈકી એક ઈદ-ઉલ-અજહા એટલે કે, બકરી ઈદનો તહેવાર હોય છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવતું હોવાથી આ પર્વને કુરબાનીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. 

New Update
  • આજે ઈદ-ઉલ-અઝહાની ઠેર ઠેર ઉજવણી કરાય

  • મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરાય

  • ઇદગાહ મેદાન અને મસ્જિદોમાં નમાઝ અદા કરી

  • દેશમાં ઉન્નતિ અને ભાઇચારા માટે નમાઝ અદા કરી

  • એકબીજાને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવાય

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરી હતી. આ સાથે જ ઇદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી.

ઇસ્લામિક કેલેન્ડર મુજબ મુસ્લિમ સમુદાયના મોટાભાગના લોકો જુલ-હિજજાહ મહિનામાં હજ કરે છે. મક્કાની વાર્ષિક હજ યાત્રા ઈદ-ઉલ-અજહાના દિવસે સમાપ્ત થાય છે. બકરી ઇદ અથવા ઈદ-ઉલ-અજહા જુલ-હિજ્જાના 10મા દિવસે ઉજવવામાં આવે છે. ઈસ્લામ ધર્મના પ્રમુખ તહેવારો પૈકી એક ઈદ-ઉલ-અજહા એટલે કેબકરી ઈદનો તહેવાર હોય છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવતું હોવાથી આ પર્વને કુરબાનીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. 

ત્યારે અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સૌપ્રથમ ફજરની નમાઝ અદા કરી હતી. ત્યારબાદ ઇદના દિવસે પઢવામાં આવતી વિશેષ ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. આ સાથે જ દેશમાં ઉન્નતિ અને ભાઇચારો બની રહે તે માટે એકમેકને શુભકામનાઓ પાઠવી હતી.