અંકલેશ્વર: ઘરેથી હેલમેટ પહેરીને નિકળવાનું રાખજો, નહીં તો પોલીસ 500 રૂપિયાનો દંડ ભરાવશે

અંકલેશ્વરમાં આજથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલરચાલકો પાસેથી રૂ.500-500નો દંડ વસૂલ કર્યો હતો.

New Update

અંકલેશ્વરમાં આજથી હેલમેટ ફરજિયાત, પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાય

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.  જે અંતર્ગત અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી, વાલીયા ચોકડી તેમજ શહેરી વિસ્તારોમાં ભરૂચીનાકા ચૌટાનાકા અને ત્રણ રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસની વિવિધ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુવહીલર ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી ₹500નો દંડ વસૂલ કર્યો હતો જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આજથી અંકલેશ્વરમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જેના કારણે દરેક લોકોને હેલ્મેટ પહેરવા માટે પોલીસે અનુરોધ કર્યો છે.

અકસ્માત સહિતના કિસ્સાઓમાં હેલ્મેટ ન પહેરવામાં મૃત્યુનું જોખમ વધી જતું હોય છે જેના કારણે રાજ્યના પોલીસવડાની સૂચનાના આધારે પહેલા સરકારી કર્મચારીઓ અને હવે સામાન્ય વ્યક્તિઓ માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

Read the Next Article

ભરૂચ : ઝઘડીયાના ખડોલી ગામે સિલિકા પ્લાન્ટમાં કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું...

ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ ખાતે આવેલ શિવ મિનરલ્સ સિલિકા પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા શ્રમિક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું

New Update
  • ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ નજીકની ઘટના

  • શિવ મિનરલ્સ સિલિકા પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાય

  • કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા યુવાનનું મોત નીપજ્યું

  • બનાવના પગલે અન્ય કર્મચારીઓમાં અફરાતફરી

  • પોલીસે અકસ્માતે મોત નોંધી કાર્યવાહી હાથ ધરી 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ ખાતે આવેલ શિવ મિનરલ્સ સિલિકા પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા શ્રમિક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં મોટા પ્રમાણમાં સિલિકા પ્લાન્ટ આવેલા છે. આ પ્લાન્ટમાં અવારનવાર દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છેત્યારે ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ ખાતે આવેલ શિવ મિનરલ્સ શિલીકા પ્લાન્ટમાં ગત રાત્રિના સમયે દુર્ઘટના સર્જાય હતી. આ પ્લાન્ટમાં 25 જેટલા શ્રમિકો મજૂરીકામ કરે છે. જે પૈકી અમદાવાદના 32 વર્ષીય શ્રવણ કુમાર શ્રીજોખુરામ ગૌતમ પ્લાન્ટમાં ઈલેકટ્રિશયન તરીકે નોકરી કરે છે.

મળતી માહિતી અનુસારગત રાત્રિના એક વાગ્યાના અરસામાં શ્રવણ કુમાર ગૌતમ પ્લાન્ટમાં હાજર હતોત્યારે કન્વેયર તેનો બેલ્ટમાં હાથ આવી જતા તે મશીનમાં ખેંચાઈ ગયો હતો. જોકેગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે પ્લાન્ટમાં હાજર અન્ય શ્રમિકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.

બનાવની જાણ થતાં જ પ્લાન્ટ મેનેજર રાજકુમાર સુરેન્દ્ર પાલ સહિત અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતાજ્યાં જોતાં શ્રવણ કુમાર ગૌતમ કન્વેયર બેલ્ટમાં ફસાયેલ અને મૃત હાલતમાં જોવા મળ્યો હતો. સમગ્ર બનાવ અંગે રાજપારડી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ મૃતદેહને અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ મૃતકના પરિજનોને મૃતદેહ સોંપવામાં આવતા તેઓ તેના વતન ખાતે લઈ જવા રવાના થયા હતા.