અંકલેશ્વર: ઘરેથી હેલમેટ પહેરીને નિકળવાનું રાખજો, નહીં તો પોલીસ 500 રૂપિયાનો દંડ ભરાવશે

અંકલેશ્વરમાં આજથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલરચાલકો પાસેથી રૂ.500-500નો દંડ વસૂલ કર્યો હતો.

New Update

અંકલેશ્વરમાં આજથી હેલમેટ ફરજિયાત, પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાય

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.  જે અંતર્ગત અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી, વાલીયા ચોકડી તેમજ શહેરી વિસ્તારોમાં ભરૂચીનાકા ચૌટાનાકા અને ત્રણ રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસની વિવિધ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુવહીલર ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી ₹500નો દંડ વસૂલ કર્યો હતો જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આજથી અંકલેશ્વરમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જેના કારણે દરેક લોકોને હેલ્મેટ પહેરવા માટે પોલીસે અનુરોધ કર્યો છે.

અકસ્માત સહિતના કિસ્સાઓમાં હેલ્મેટ ન પહેરવામાં મૃત્યુનું જોખમ વધી જતું હોય છે જેના કારણે રાજ્યના પોલીસવડાની સૂચનાના આધારે પહેલા સરકારી કર્મચારીઓ અને હવે સામાન્ય વ્યક્તિઓ માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

Read the Next Article

ભરૂચ : નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાય…

ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગણેશચતુર્થી અને નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

New Update
National Sports Day

ભરૂચ જિલ્લામાં આગામી તા. 28થી 31 ઓગસ્ટ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તા. 28મી ઓગસ્ટના રોજ શાળા કક્ષાએ નેશનલ સ્પોર્ટ્સ ડે અંર્તગત નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા તેમજ ગણેશચતુર્થી નિમિત્તે શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા યોજાશેજ્યારે તા. 29 ઓગસ્ટના રોજ લુવારા સ્થિત એમીકસ ઈન્ટનેશલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશેતો તા. 30 ઓગસ્ટના રોજ શાળાઓમાં મેદાનને અનુરૂપ પરંપરાગત વિવિધ રમતોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

આ સાથે જ તા. 31 ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાંસન્ડે ઓન સાઈકલ’ રેલીનું પણ વિશેષ આયોજન હાથ ધરાયું છે. વહેલી સવારે 6.30 કલાકે કલેક્ટર કચેરીના પટાંગણથી સાયક્લોથોનનો મહાનુભાવોની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્ર્મની વિસ્તૃત માહિતી આપવા હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.