અંકલેશ્વર: ઘરેથી હેલમેટ પહેરીને નિકળવાનું રાખજો, નહીં તો પોલીસ 500 રૂપિયાનો દંડ ભરાવશે

અંકલેશ્વરમાં આજથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલરચાલકો પાસેથી રૂ.500-500નો દંડ વસૂલ કર્યો હતો.

New Update

અંકલેશ્વરમાં આજથી હેલમેટ ફરજિયાત, પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાય

Advertisment

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.  જે અંતર્ગત અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી, વાલીયા ચોકડી તેમજ શહેરી વિસ્તારોમાં ભરૂચીનાકા ચૌટાનાકા અને ત્રણ રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસની વિવિધ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુવહીલર ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી ₹500નો દંડ વસૂલ કર્યો હતો જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આજથી અંકલેશ્વરમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જેના કારણે દરેક લોકોને હેલ્મેટ પહેરવા માટે પોલીસે અનુરોધ કર્યો છે.

અકસ્માત સહિતના કિસ્સાઓમાં હેલ્મેટ ન પહેરવામાં મૃત્યુનું જોખમ વધી જતું હોય છે જેના કારણે રાજ્યના પોલીસવડાની સૂચનાના આધારે પહેલા સરકારી કર્મચારીઓ અને હવે સામાન્ય વ્યક્તિઓ માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment