અંકલેશ્વર : કોસમડીમાં ખેતરમાં પશુપાલકો દ્વારા ઢોર છોડી દેવાના આક્ષેપ સાથે ખેડૂતોએ  પોલીસ મથકમાં કરી ફરિયાદ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતેના ખેતરમાં ઢોર છોડી દેવાના મુદ્દે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે ચકમક સર્જાઈ હતી,

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતેના ખેતરમાં ઢોર છોડી દેવાના મુદ્દે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે ચકમક સર્જાઈ હતી. જે મુદ્દે ખેડૂતો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ખેતરમાં રખડતા ઢોરો દ્વારા પાકને નુકસાન થઇ રહ્યું હોવાના મુદ્દે ખેડૂતો રોષે ભરાયા હતા.પશુપાલકો ખેતરમાં ઢોર છોડીને ખેડૂતોને નુકસાન પહોંચાડતા હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા.અને રખડતા ઢોરને ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતના ઢોર ડબ્બામાં પુરી દીધા હતા,જોકે ભરવાડો દ્વારા ઢોર છોડાવવાનો પ્રયાસ કર્યો હતો,આ સમય દરમિયાન ખેડૂતો અને પશુપાલકો વચ્ચે ઉગ્ર ચકમક સર્જાતા મામલો જીઆઇડીસી પોલીસ મથકમાં પહોંચ્યો હતો,અને ખેડૂતો દ્વારા પોલીસ સ્ટેશનમાં ભરવાડો સામે ફરિયાદ કરવામાં આવી હતી,જે અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.