અંકલેશ્વર : કોસમડીમાં ખેતરમાં પશુપાલકો દ્વારા ઢોર છોડી દેવાના આક્ષેપ સાથે ખેડૂતોએ  પોલીસ મથકમાં કરી ફરિયાદ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતેના ખેતરમાં ઢોર છોડી દેવાના મુદ્દે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે ચકમક સર્જાઈ હતી,

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતેના ખેતરમાં ઢોર છોડી દેવાના મુદ્દે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે ચકમક સર્જાઈ હતી. જે મુદ્દે ખેડૂતો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ખેતરમાં રખડતા ઢોરો દ્વારા પાકને નુકસાન થઇ રહ્યું હોવાના મુદ્દે ખેડૂતો રોષે ભરાયા હતા.પશુપાલકો ખેતરમાં ઢોર છોડીને ખેડૂતોને નુકસાન પહોંચાડતા હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા.અને રખડતા ઢોરને ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતના ઢોર ડબ્બામાં પુરી દીધા હતા,જોકે ભરવાડો દ્વારા ઢોર છોડાવવાનો પ્રયાસ કર્યો હતો,આ સમય દરમિયાન ખેડૂતો અને પશુપાલકો વચ્ચે ઉગ્ર ચકમક સર્જાતા મામલો જીઆઇડીસી પોલીસ મથકમાં પહોંચ્યો હતો,અને ખેડૂતો દ્વારા પોલીસ સ્ટેશનમાં ભરવાડો સામે ફરિયાદ કરવામાં આવી હતી,જે અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.