અંકલેશ્વર: GIDC પોલીસે સારંગપુરના ગોમતી નગરમાં દરોડા પાડી વિદેશી દારૂ સહિત રૂ.4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર સારંગપુર ગામના ગોમતી નગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જ જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો મળી કુલ ૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

New Update
  • અંકલેશ્વરમાંથી ઝડપાયો વિદેશી દારૂ

  • જીઆઇડીસી પોલીસે પાડ્યા દરોડા

  • ગોમતી નગરમાંથી ઝડપાયો દારૂ

  • વિદેશી દારૂ સહિત રૂ.4.34 લાખનો મુદ્દામાલ જપ્ત

  • બે બુટલેગરો વોન્ટેડ

અંકલેશ્વર સારંગપુર ગામના ગોમતી નગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જ જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો મળી કુલ ૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.મથકના પી.એસ.આઈ એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇક્કો ગાડીમાં વિદેશી દારૂનો ભરી લાવી સારંગપુર ગામના ગોમતી નગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે.બંને બુટલેગરો ઇક્કો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે બંને ઈસમો ફરાર થઇ ગયા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૭૯૫ નંગ બોટલ મળી આવી હતી પોલીસે સ્થળ પરથી ૧.૬૪ લાખનો દારૂ અને ઇક્કો સહીત મોપેડ મળી કુલ ૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment