અંકલેશ્વર: બાકરોલ ગામે શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું, પોલીસ તપાસ શરૂ

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

New Update
  • અંકલેશ્વરનાબાકરોલ ગામનો બનાવ

  • શેરડીના ખેતરમાંથી મળી આવ્યું માનવ કંકાલ

  • કાપણી માટે શેરડી સળગાવાતા માનવ કંકાલ મળ્યું

  • ગ્રામજનોએ પોલીસને કરી જાણ

  • પાનોલી પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે તેઓએ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાલ કોસમડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોતે ખેડવા માટે આપ્યું હતું. ખેતરમાં શેરડી માટેનું કટીંગ આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું.આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તેઓએ ખેતર માલિકને જાણ કરી હતી.
ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકલેશ્વર ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પી.આઇ. શિલ્પા દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અને એફ.એસ.એલ. અર્થે મોકલી આપ્યું હતું ત્યારે આ માનવ કંકાલ કોનું છે, કોઈ વ્યકિતની હત્યા કરી તેના મૃતદેહને ખેતરમાં ફેકની દેવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read the Next Article

ભરૂચ : વાલિયા લોકેશનની 108 ઇમરજન્સી ટીમની ઉત્કૃષ્ટ કામગીરી, દર્દીની રોકડ રકમ અને ATM કાર્ડ પરત કર્યા

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે. તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક

New Update
IMG-20250812-WA0253

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે.

તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક અકસ્માતનો કોલ મળતાં જ વાલિયા 108 લોકેશન પર ફરજ બજાવતા EMT નિલમ પટેલ અને પાયલોટ મોહનલાલ વસાવાએ વિલંબ કર્યા વિના જરૂરી તૈયારી કરી સ્થળ પર દોડી ગયા ત્યાં પહોંચીને તેમણે બેભાન હાલતમાં એક વ્યક્તિને તાત્કાલિક સારવાર આપી એમ્બ્યુલન્સ મારફતે ઝડપથી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. 
સારવાર દરમ્યાન દર્દી પાસે આશરે ₹10,860 રોકડ અને એટીએમ કાર્ડ મળ્યું હતી.જે અંગે ફરજ પરના સ્ટાફે તરત જ દર્દીના સગાંઓને જાણ કરી 12 ઑગસ્ટ 2025ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરથી આવેલા દર્દીના સગાઓને રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ પરત આપ્યા હતા. આ ઘટનાથી વાલિયા 2 લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમે માત્ર સેવા જ નહીં, પણ પ્રામાણિકતાનો પણ ઉત્તમ સંદેશ આપ્યો છે.