અંકલેશ્વર: ESIC હોસ્પિટલમાં ભરતી કૌભાંડ અંગે મનસુખ વસાવાના આક્ષેપ બાદ તપાસ કમિટીની રચના !

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરવાના મામલામાં ESIC હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

New Update
  • સાંસદ મનસુખ વસાવાએ કર્યા હતા આક્ષેપ

  • ESIC હોસ્પિટલમાં ભરતી કૌભાંડના આક્ષેપ કર્યા હતા

  • લાખો રૂપિયા લેવાતા હોવાના કર્યા હતા આક્ષેપ

  • આક્ષેપ બાદ હોસ્પિટલ પ્રશાસન આવ્યું હરકતમાં

  • તપાસ સમિતિની કરવામાં આવી રચના

Advertisment
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરવાના મામલામાં ESIC હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન મામલે અધિકારીઓને આડે હાથ લીધા બાદ હવે અંકલેશ્વરમાં આવેલી કામદારો માટે આશીર્વાદ સમાન ESIC હોસ્પિટલના વહીવટકર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.આ પોસ્ટમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેમાં ગેરરીતિ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને રીન્યુ કરવા રૂપિયા 1 લાખ તો નવા ઉમેદવાર પાસે ચાર પગાર એડવાન્સ પેટે લેવામાં આવી રહ્યા હોવાના મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.આ અંગે એજન્સી દ્વારા ઉમેદવારોને અમદાવાદની હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પૈસા અપાયા પછી જ પસંદગી લેટર આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે તેઓ દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાને રજૂઆત કરવામાં આવશે.
સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપ બાદ હોસ્પિટલ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને આ અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.આ અંગે ESICના ચીફ મેડિકલ ઓફિસર અર્કેશ શાહે જણાવ્યું હતું કે સાંસદ દ્વારા સોશિયલ મીડિયા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે.જેના પગલે આ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment