New Update
-
સાંસદ મનસુખ વસાવાએ કર્યા હતા આક્ષેપ
-
ESIC હોસ્પિટલમાં ભરતી કૌભાંડના આક્ષેપ કર્યા હતા
-
લાખો રૂપિયા લેવાતા હોવાના કર્યા હતા આક્ષેપ
-
આક્ષેપ બાદ હોસ્પિટલ પ્રશાસન આવ્યું હરકતમાં
-
તપાસ સમિતિની કરવામાં આવી રચના
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરવાના મામલામાં ESIC હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન મામલે અધિકારીઓને આડે હાથ લીધા બાદ હવે અંકલેશ્વરમાં આવેલી કામદારો માટે આશીર્વાદ સમાન ESIC હોસ્પિટલના વહીવટકર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.આ પોસ્ટમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેમાં ગેરરીતિ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને રીન્યુ કરવા રૂપિયા 1 લાખ તો નવા ઉમેદવાર પાસે ચાર પગાર એડવાન્સ પેટે લેવામાં આવી રહ્યા હોવાના મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.આ અંગે એજન્સી દ્વારા ઉમેદવારોને અમદાવાદની હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પૈસા અપાયા પછી જ પસંદગી લેટર આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે તેઓ દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાને રજૂઆત કરવામાં આવશે.
સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપ બાદ હોસ્પિટલ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને આ અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.આ અંગે ESICના ચીફ મેડિકલ ઓફિસર અર્કેશ શાહે જણાવ્યું હતું કે સાંસદ દ્વારા સોશિયલ મીડિયા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે.જેના પગલે આ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.